Auto Debit નો નિયમ બરાબર નહીં સમજો તો અટવાઈ જશે તમારા ટ્રાન્ઝેક્શન, જાણો વિગતવાર

નવા નિયમ અંતર્ગત ગ્રાહકે તેના દરેક પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને ફરીથી નોંધાવવાનું રહેશે. આમાં જો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ચૂકવણી કરો છો, તો આ નવો નિયમ લાગુ થશે. જો ટ્રાન્ઝેક્શન 5,000 રૂપિયાથી વધુ હોય તો દરેક ઓટો-ડેબિટ માટે OTP નો ઉપયોગ કરવો પડશે.

Auto Debit નો નિયમ બરાબર નહીં સમજો તો અટવાઈ જશે તમારા ટ્રાન્ઝેક્શન, જાણો વિગતવાર
Auto Debit Payments New Rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 7:05 AM

તાજેતરમાં ઓટો ડેબિટ(Auto Debit)નો નવો નિયમ અમલમાં આવ્યો છે. રિઝર્વ બેંક(RBI)ની સૂચના અનુસાર 1 ઓક્ટોબરથી ઓટો-ડેબિટિંગ પહેલા બેન્કે ગ્રાહક પાસેથી મેસેજ અથવા ઇમેઇલ દ્વારા મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી બાદ જ ઓટો ડેબિટ શક્ય બનશે. આ નિયમ ત્યારે જ લાગુ થશે જ્યારે ચુકવણી 5,000 રૂપિયાથી વધુ હશે. નહિંતર જૂની સિસ્ટમ ચાલુ રહેશે. નવા નિયમના કારણે ગ્રાહકોના ઘણા અગત્યના વ્યવહાર અટકી શકે છે કારણ કે દેશની માત્ર 60 ટકા બેંકો આ સિસ્ટમ સાથે જોડાયેલી છે.

નિષ્ણાતો કહે છે કે મોટાભાગની મુશ્કેલી સરકારી બેંકો સાથે છે કારણ કે તેઓ હજુ સુધી આ ઓટો-ડેબિટ નિયમ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા નથી. ઉદાહરણ તરીકે ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ડેબિટ કાર્ડ્સ પર ઓટો-ડેબિટ ઓક્ટોબરના થી શરૂ થઈ શકશે. જોકે, આ નિયમ તેના ક્રેડિટ કાર્ડ પર 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.

આ બેન્કોમાં નિયમ લાગુ પડ્યો નથી ખાનગી બેન્કોની વાત કરીએ તો HDFC બેન્ક, ICICI બેન્ક, સિટી બેન્ક, IDFC બેન્ક અને એક્સિસ બેન્કે ઓટો-ડેબિટનો નિયમ લાગુ કર્યો છે પરંતુ ઇન્ડસઇન્ડ બેન્ક, બેન્ક ઓફ બરોડા, આરબીએલ બેન્ક અને યસ બેન્કે હજુ તેને શરૂ કરવાનું બાકી છે. આ બેન્કો ઓટો ડેબિટની તૈયારી કરી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું સમસ્યાઓ આવશે? રેઝરપેના સહ-સ્થાપક શશાંક કુમારે જણાવ્યું હતું કે આરબીઆઇ દ્વારા લાગુ કરવામાં આવેલા આ ઓટો-ડેબિટ નિયમથી આગળ જતા ગ્રાહકોને ઘણો ફાયદો થશે પરંતુ ટૂંકા ગાળામાં ઘણી ગૂંચવણો ઉભી કરશે. કાર્ડ્સ હજુ સુધી સંપૂર્ણપણે નવી સિસ્ટમમાં ટ્રાન્સફર થયા નથી. જે બેન્કોએ આ સિસ્ટમનો અમલ કર્યો નથી તેઓ આદેશ અથવા વ્યવહાર પૂર્ણ કરી શકશે નહીં.

આ પેમેન્ટમાં કોઈ સમસ્યા નહીં થાય બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓએ પહેલાથી જ તેમના ગ્રાહકોને આ અંગે જાણ કરી દીધી છે અને ઓટો-ડેબિટમાંથી નિયમ બદલાવા જઈ રહ્યો છે. જે ગ્રાહકોએ નવો નિયમ સ્વીકાર્યો નથી તેમને વીજળી, પાણી, ફોન, એલપીજી અથવા ઓટીટી સબ્સ્ક્રિપ્શન બિલ ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ અને ઈએમઆઈની ચુકવણી પર કોઈ અસર થશે નહીં.

સમય મર્યાદા વધારવા રજુઆત કરાઈ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને અને બેન્કોને સમય આપવા માટે RBI ને પત્ર લખ્યો છે. પત્રમાં ઓટો-ડેબિટના નવા નિયમને એક કે બે મહિના લંબાવવાની માંગ કરવામાં આવી છે. પેમેન્ટ કાઉન્સિલ કહે છે કે તમામ ભાગીદારો આ કામને યોગ્ય સમયે અમલમાં મૂકવા માટે સખત મહેનત કરી રહ્યા છે પરંતુ તેમાં થોડો વધુ સમય લાગશે.

આ બાબત યાદ રાખજો નવા નિયમ અંતર્ગત ગ્રાહકે તેના દરેક પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને ફરીથી નોંધાવવાનું રહેશે. આમાં જો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ચૂકવણી કરો છો, તો આ નવો નિયમ લાગુ થશે. ફરીથી નોંધણી કર્યા પછી પ્રથમ વ્યવહાર માટે ઓથેન્ટિકેશન કરવું પડશે. એટલે કે SMS અથવા ઇમેઇલ પર પ્રાપ્ત OTP દ્વારા તેની ચકાસણી કરવાની રહેશે. જો ટ્રાન્ઝેક્શન 5,000 રૂપિયાથી વધુ હોય તો દરેક ઓટો-ડેબિટ માટે OTP નો ઉપયોગ કરવો પડશે.

આ પણ વાંચો : Bank Holidays in October 2021 : ચાલુ મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો : HIGH RETURN STOCK : ડ્રોન અને ડિફેન્સ સેક્ટરના આ સ્ટોકે એક મહિનામાં 159 ટકા રિટર્ન આપ્યું, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">