AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PUC એક્સપાયર થયા પછી પણ શું ગાડી ચલાવી શકાય ? જાણો શું કહે છે કાયદો !

જો તમારા વાહનનું PUC સર્ટિફિકેટની તારીખ સમાપ્ત થઈ છે, તો નવું PUC બનાવ્યા વગર ગાડી ચલાવવી મોંઘી પડી શકે છે. નિયમો અનુસાર ₹1,000 થી ₹10,000 સુધીનો દંડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થવાનો ખતરો રહે છે. સાથે જ સરકાર BS-VI અને જૂના વાહનો માટે PUC નિયમોમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે.

PUC એક્સપાયર થયા પછી પણ શું ગાડી ચલાવી શકાય ? જાણો શું કહે છે કાયદો !
PUC CertificateImage Credit source: AI Generated
| Updated on: Jul 03, 2026 | 1:45 PM
Share

જો તમારી પાસે કાર અથવા બાઈક છે તો PUC સર્ટિફિકેટ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી હોય છે. આ દસ્તાવેજ બતાવે છે કે તમારું વાહન નિર્ધારિત ધોરણો મુજબ પ્રદૂષણ ફેલાવે છે કે નહીં. માન્ય PUC વગર રસ્તા પર વાહન ચલાવવું કાયદાનું ઉલ્લંઘન ગણાય છે. તેથી PUC સમાપ્ત થયા પછી કયા નિયમો લાગુ પડે છે અને ભવિષ્યમાં સરકાર કયા ફેરફારો કરી શકે છે તે જાણવું પણ જરૂરી છે.

PUC એક્સપાયર થયા પછી શું વાહન ચલાવી શકાય?

મોટર વાહન નિયમો અનુસાર, PUC પ્રમાણપત્રની મુદત પૂરી થયા પછી કોઈ વધારાનો ગ્રેસ પીરિયડ નથી હોતો. આનો અર્થ એ થયો કે એકવાર તેની માન્યતા સમાપ્ત થઈ જાય પછી નવું PUC લીધા વિના રસ્તા પર વાહન ચલાવવું એ ઉલ્લંઘન માનવામાં આવે છે. તેથી વાહન માલિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ કાનૂની ગૂંચવણો ટાળવા માટે તેની સમાપ્તિ તારીખ પહેલાં તેમના PUC ને રિન્યુ કરે.

કેટલો દંડ લાગી શકે?

જો કોઈ વ્યક્તિ માન્ય PUC પ્રમાણપત્ર વિના વાહન ચલાવતા પકડાય છે તો તેને ઓછામાં ઓછા ₹1,000 અને વધુમાં વધુ ₹10,000 નો દંડ થઈ શકે છે. વારંવાર ઉલ્લંઘન કરવાથી વધારાના દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ પણ કરી શકાય છે.

નવા નિયમો રજૂ કરી શકે છેમ સરકાર

સૂત્રો અનુસાર, સરકાર PUCC 3.0 નામની નવી સિસ્ટમ લાગુ કરવાનું વિચારી રહી છે. તેનો હેતુ આધુનિક, ઓછા પ્રદૂષિત વાહનોને રાહત આપવાનો છે. જ્યારે વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનોનું નિરીક્ષણ કડક બનાવવાનો છે.

BS-VI વાહનોને મળી શકે છે રાહત

જો નવો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો 1 એપ્રિલ, 2020 પછી ખરીદેલા BS-VI ખાનગી વાહનો માટે PUC પ્રમાણપત્રોની માન્યતા લંબાવી શકાય છે. આનાથી નવા વાહન માલિકોને થોડી રાહત મળી શકે છે. જેનાથી વારંવાર PUC બનાવવાની જરૂરિયાત દૂર થઈ શકે છે.

જૂના વાહનો માટે વધી શકે છે સખ્તી

સરકાર જૂના વાહનો માટે નિયમો કડક બનાવવાનું વિચારી રહી છે. સૂત્રો અનુસાર, માર્ચ 2020 પહેલા ઉત્પાદિત BS-IV વાહનો માટે દર 6 મહિને PUC નિરીક્ષણની જરૂર પડી શકે છે. પ્રદૂષણને વધુ સારી રીતે નિયંત્રિત કરવા માટે BS-I, BS-II અને BS-III વાહનો માટે નિરીક્ષણ સમયગાળો દર ત્રણ મહિને ઘટાડી શકાય છે.

કોમર્શિયલ વાહનો માટે નિયમોમાં ફેરફાર

સૂત્રો અનુસાર, 6 વર્ષ સુધીના BS-VI કોમર્શિયલ વાહનો માટે PUCની માન્યતા બે વર્ષ સુધી વધારી શકાય છે. આ પછી આ વાહનો પર તેમની ઉંમરના આધારે નવા નિયમો લાગુ થઈ શકે છે.

વાહન માલિકોએ શું કરવું જોઈએ?

જો તમારા વાહનનું PUC ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે તો છેલ્લી તારીખની રાહ ન જુઓ. સમયસર રિન્યુ કરાવવાથી દંડથી બચી શકાય છે અને પર્યાવરણની સુરક્ષામાં પણ યોગદાન આપી શકાય છે.

આ પણ વાચો, Ethanol : શું ઇથેનોલવાળા પેટ્રોલથી ઘટી જશે તમારી ગાડીનું માઇલેજ ? કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો ખુલાસો !

Follow Us
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
g clip-path="url(#clip0_868_265)">