AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મામલે મોટા સમાચાર, હાઈકોર્ટના આદેશ બાદ નક્કી કરાઈ વળતરની રકમ- Video

વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ મૃતકોના સ્વજનોને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છોડો વળતરની રકમ પણ નથી મળી.આજે આ કેસમાં વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા આખરે હાઈકોર્ટના આદેશ મુજબ વળતરની રકમ જાહેર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2025 | 6:11 PM
Share

વડોદરાનો એ ગોજારો હરણી બોટકાંડ. જેમા 2 શિક્ષિક અને 12 માસૂમોના બોટ પલટી જવાથી મોત થયા હતા. આ બોટકાંડના પીડિતોને એક વર્ષ બાદ પણ ન્યાય નથી મળ્યો. ન્યાય માટે પરિજનો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આજરોજ આ પીડિતોને મળનારા વળતરની રકમ જાહેર કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ મુજબ નાયબ કલેક્ટરે રકમ નક્કી કરી છે. જેમા બાળકના પરિજન દીઠ 31.75 લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો છે. બે મૃતક શિક્ષિકાઓને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ ઈજાગ્રસ્તોને 50-50 હજાર વળતર ચુકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે.

12 બાળકો અને 2 શિક્ષિકાના થયા હતા મોત

શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે આજથી એક વર્ષ અગાઉ 18 જાન્યુઆરી 2024ના રોજ લઇ જવામાં આવ્યા હતા. બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડી દેવાતા આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. વડોદરાના આ કાળા દિવસને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે 14 જીવ ગુમાવનાર પરિજનોના ન્યાયની માંગ આજે પણ સંતોષાઈ નથી, પોતાના વ્હાલસોયા સંતાનને યાદ કરીને માતા-પિતા તથા સ્વજનોની આંખમાં આજે પણ આંસુ આવી જાય છે.

એક વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો

18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પિકનિકમાં નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર હતાં એ બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને એક વર્ષ થઇ ગયું છતાં મૃતકોનાં પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રૂજી જાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">