AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટના મામલે મોટા સમાચાર, હાઈકોર્ટના આદેશ બાદ નક્કી કરાઈ વળતરની રકમ- Video

વડોદરાના હરણી બોટકાંડના એક વર્ષ બાદ પણ મૃતકોના સ્વજનોને ન્યાય નથી મળ્યો. ન્યાય તો છોડો વળતરની રકમ પણ નથી મળી.આજે આ કેસમાં વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા આખરે હાઈકોર્ટના આદેશ મુજબ વળતરની રકમ જાહેર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2025 | 6:11 PM
Share

વડોદરાનો એ ગોજારો હરણી બોટકાંડ. જેમા 2 શિક્ષિક અને 12 માસૂમોના બોટ પલટી જવાથી મોત થયા હતા. આ બોટકાંડના પીડિતોને એક વર્ષ બાદ પણ ન્યાય નથી મળ્યો. ન્યાય માટે પરિજનો કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આજરોજ આ પીડિતોને મળનારા વળતરની રકમ જાહેર કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ મુજબ નાયબ કલેક્ટરે રકમ નક્કી કરી છે. જેમા બાળકના પરિજન દીઠ 31.75 લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો છે. બે મૃતક શિક્ષિકાઓને અનુક્રમે રૂ. 11,21,900 અને રૂ. 16,68,209 ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ ઈજાગ્રસ્તોને 50-50 હજાર વળતર ચુકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત નક્કી કરેલી વળતરની રકમ પર જાહેર હિતની અરજીની દાખલ તારીખથી વસૂલાત સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ દર પ્રમાણે રકમ મળવાપાત્ર રહેશે.

12 બાળકો અને 2 શિક્ષિકાના થયા હતા મોત

શહેરના વાઘોડીયા રોડ સ્થિત ન્યુ સનરાઇઝ સ્કુલના બાળકોને પ્રવાસે અર્થે હરણી લેક ઝોન ખાતે આજથી એક વર્ષ અગાઉ 18 જાન્યુઆરી 2024ના રોજ લઇ જવામાં આવ્યા હતા. બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડી દેવાતા આખી બોટ પલ્ટી જતા 12 ભુલકાઓ અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. વડોદરાના આ કાળા દિવસને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે 14 જીવ ગુમાવનાર પરિજનોના ન્યાયની માંગ આજે પણ સંતોષાઈ નથી, પોતાના વ્હાલસોયા સંતાનને યાદ કરીને માતા-પિતા તથા સ્વજનોની આંખમાં આજે પણ આંસુ આવી જાય છે.

એક વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે સ્વજનો

18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પિકનિકમાં નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર હતાં એ બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને એક વર્ષ થઇ ગયું છતાં મૃતકોનાં પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રૂજી જાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">