VADODARA : સોખડા ધામમાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીની અંતિમવિધિ તૈયારી પૂર્ણ

સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ 1 ઓગસ્ટે બપોરે 2 કલાકે કરવામાં આવશે. સોખડા ધામના જ લીમડા વનમાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીની અંત્યેષ્ટિ વિધી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:13 PM

VADODARA : સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ 1 ઓગસ્ટે બપોરે 2 કલાકે કરવામાં આવશે. સોખડા ધામના જ લીમડા વનમાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીની અંત્યેષ્ટિ વિધી કરવામાં આવશે. આ લીમડા વનમાં લેવલિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હરિપ્રસાદ સ્વામીનું પાલખીયાત્રા બાદ યોજાનારી અંતિમવિધિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે. તો મોટી સંખ્યામાં હરિભક્તો પણ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપશે. સોખડા ધામના યોગી પ્રાર્થના હોલમાં સ્વામીજીના પાર્થિવ દેહના 26 જુલાઈથી અત્યાર સુધીમાં લાખો હરિભક્તોએ અંતિમ દર્શન કર્યા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">