VADODARA : કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાયા, મોત માટે જવાબદાર કોણ ?

તો આ તરફ કંપનીના ડાયરેક્ટરની વર્તણૂક કંપનીની કોઈ જ ભૂલ ન હોય તે પ્રકારની જણાઈ રહી છે. કોઈપણ પ્રકારની જવાબદારી લેવા ન માગતા હોય તેમ તેઓએ ઉડાઉ આપ્યા.

VADODARA :  કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાયા, મોત માટે જવાબદાર કોણ ?
કંપનીમાં બ્લાસ્ટ, 4 મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 1:21 PM

વડોદરામાં (VADODARA) વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં(Canton Laboratories Company) બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા. એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકો મોતને ભેટ્યા છે. ઓવરહિટિંગના કારણે બોઈલર ફાટતાં પ્રચંડ બ્લાસ્ટ (BLAST) થયો અને ક્ષણભરમાં જ કેમિકલ કંપનીમાં હાહાકાર મચી ગયો. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. દાઝી ગયેલા 10થી વધુ લોકોની ચીચીયારીઓથી આખા વિસ્તારમાં હૈયું કકળી ઉઠે તેવો માહોલ જોવા મળ્યો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડે રાહત અને બચાવકાર્ય હાથ ધરતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલમાં લઈ જવાયા છે.

તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર સમશેરસિંઘ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે કંપનીની મુલાકાત કરી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપની પાસે આવેલું મકાન પણ ધરાશાયી થઈ ગયું છે. નિયમો પ્રમાણે કંપની પાસે રહેણાક મકાન ન હોવું જોઈએ. તેમ છતાં ત્યાં મકાન બનાવી દેવાતા કંપની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કમિશનરે પણ એ વાતને સમર્થન આપ્યું કે કંપની પાસે મકાન ન હોવું જોઈએ.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પોલીસનો દાવો છે કે તમામ પાસાઓની ચકાસણી કરાશે. અને કંપનીની જો કોઈ ગુનાકિય બેદરકારી હશે તો ગુનો દાખલ કરાશે. મહત્વનું છે કે કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વસાહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.

તો આ તરફ કંપનીના ડાયરેક્ટરની વર્તણૂક કંપનીની કોઈ જ ભૂલ ન હોય તે પ્રકારની જણાઈ રહી છે. કોઈપણ પ્રકારની જવાબદારી લેવા ન માગતા હોય તેમ તેઓએ ઉડાઉ આપ્યા.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

આ પણ વાંચો : Aravalli: ડે. ક્લેક્ટર મયંક પટેલ દ્વારા મહિલા પજવણી કેસમાં નવો વળાંક, મહિલા અધિકારી અને ડે.ક્લેક્ટર વચ્ચે સમાધાન

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">