AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનું પેપર લીક થવાની ઘટનામાં પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું હોવાની માહિતી સામે આવી છે.

વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં
Paper leak case of BCom in Saurashtra University
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:17 AM
Share

રાજકોટ (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (saurashtra university) બીકોમનું પેપર ફૂટવાની (Paper Leak Case) ઘટનામાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. તો આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે એમ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસે હાલ પેપર ફોડવાના કેસમાં ત્રણ શકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે. તપ પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

તો ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા લવલી યારો ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિને ઉપાડી લેવાયો. હોવાની માહિતી પણ સામે આવી છે. જણાવી દઈએ કે ગઈકાલે જ રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો.

હવે આમ આદમી પાર્ટી પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવવા પહોચી હતી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હોવાનો દાવો હતો. જેના પગલે હવે પરીક્ષા રદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો પરંતુ પેપર સવારે 9 વાગ્યાથી જ વોટ્સએપ પર ફરતું થયું હતું.

આ અંગે આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીની માગણી છે કે આ મુદ્દે યોગ્ય તપાસ થાય અને જો પેપર લીક થયું છે તો આરોપીને તાત્કાલિક ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે. આમ આદમી પાર્ટીએ એવું પણ કહ્યું હતું કે, કુલપતિએ તેમને તપાસ કરી પગલાં લેવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: Good News : અમેરિકાએ આપી મોટી રાહત, H-1B અને અન્ય વર્ક વિઝા અરજદારોને ઇન્ટરવ્યુમાંથી મળશે મુક્તિ

આ પણ વાંચો: ભારતના 5 શહેર જ્યાંની હવા છે સૌથી સ્વચ્છ અને હવામાન છે ખુશનુમા, રજાઓ માટે છે શ્રેષ્ઠ સ્થળ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">