અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ગુજરાતમાં ગૂંજશે, બંનેના પત્ની ગુજરાતમાં પ્રચાર માટે આવશે, જુઓ Video

લોકસભાની ચૂંટણી ને ભાજપ,કોંગ્રેસ અને AAP સહિતની તમામ પાર્ટીઓ ધીરે ધીરે ચૂંટણી નજીક આવતા મેદાનમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો પણ ગૂંજશે તેવા એંધાણ સર્જાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2024 | 11:44 AM

લોકસભાની ચૂંટણી ને ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી સહિતની તમામ પાર્ટીઓ ધીરે ધીરે ચૂંટણી નજીક આવતા મેદાનમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો પણ ગૂંજશે તેવા એંધાણ સર્જાયા છે. અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની 26 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અરવિંદ કેજરીવાલના ધર્મ પત્ની સુનિતા કેજરીવાલ અને સોરેનના ધર્મ પત્ની કલ્પના સોરેન પ્રચાર માટે આવશે. ‘INDIA’ ગઠબંધનની બેઠકો પર બંનેને પ્રચાર કરાવાશે તે પ્રકારની રણનીતિ હાલ ઘડાઈ રહી છે. ઈસુદાન ગઢવીએ આ માહિતી ભાવનગરમાં AAP ઉમેદવારના કાર્યાલયના ઉદઘાટન દરમ્યાન આપી હતી.

મહત્વનું છે કે ED દ્વારા એક પછી એક બે અલગ રાજ્યના મુખ્યમંત્રી પર તવાઇ બોલાવવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની અલગ અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે ‘INDIA’ ગઠબંધન હેઠળ અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દા પર તેમની પત્નીઓ દ્વારા ગુજરાતમાં વાત કરવામાં આવશે.ચૂંટણી પ્રચારમાં આ બંને નેતાઓની ધરપકડનો મુદ્દો ગુંજી શકે છે.

આ પણ વાંચો-Valsad : ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, ઉમેદવાર બદલવાની માગ, જુઓ Video

ઇસુદાન ગઢવીએ આ માહિતી જે કાર્યક્રમમાં આપી હતી તે કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રેદશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહે કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">