AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વ્યાજખોરીનું દૂષણ ડામવા પોલીસ એક્શનમાં ! સૌરાષ્ટ્રમાં વ્હાઈટ કોલર જેન્ટલમેન બનીને ફરનારા અનેક લોકો વ્યાજખોર નીકળ્યા

વ્યાજખોરીનું દૂષણ ડામવા પોલીસ એક્શનમાં ! સૌરાષ્ટ્રમાં વ્હાઈટ કોલર જેન્ટલમેન બનીને ફરનારા અનેક લોકો વ્યાજખોર નીકળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 1:54 PM
Share

વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ છે. આવા 228 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા છે.

રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં એવું લાગતુ હતુ કે માથાભારે તત્વો જ વ્યાજખોરી કરતા હશે. પરંતુ હવે એવી હકીકત સામે આવી છે કે વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ છે. આવા 228 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા છે.

લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા

ગત 5 તારીખથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર પોલીસે 75થી વધુ લોકદરબાર યોજીને ગુના દાખલ કર્યા.જેમાં રાજકોટ શહેરમાં 79 વ્યાજખોરો સામે 43 ફરિયાદ, જામનગરમાં 69 આરોપી સામે 26 ફરિયાદ, પોરબંદરમાં 1 ફરિયાદ, જૂનાગઢમાં 39 આરોપી સામે 17 ફરિયાદ, મોરબીમાં 40 આરોપીઓ સામે 20 ફરિયાદ નોંધાઈ છે.

Published on: Jan 24, 2023 12:35 PM
g clip-path="url(#clip0_868_265)">