ગુજરાતના વડોદરામાં ઓમિક્રોન વિસ્ફોટ,સાત નવા કેસ નોંધાયા
ગુજરાતના વડોદરામાં ઓમિક્રોન વિસ્ફોટ થયો છે. જેમાં વડોદરામાં વિદેશથી આવેલા સાત લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેના પગલે રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓની કુલ સંખ્યા 30 પર પહોંચી છે.
ગુજરાતના(Gujarat) વડોદરામાં(Vadodara) ઓમિક્રોન(Omicron) વિસ્ફોટ થયો છે. જેમાં વડોદરામાં વિદેશથી આવેલા સાત લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેના પગલે રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓની કુલ સંખ્યા 30 પર પહોંચી છે. જેમાં ઝામ્બિયાથી પરત આવેલા વ્યકિત ઓમીક્રોન પોઝિટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા સાત લોકો હોમ આઇસોલેશન હેઠળ હતાઅને 15/12/2021 થી તેમની આરોગ્ય સ્થિતિ સતત દેખરેખ હેઠળ હતા. વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા આ સાત લોકો ઓમીક્રોન પોઝિટીવ આવ્યા છે. આ બધા એસિમ્પટમેટિક છે. તેમજ તેમના રિપીટ ટેસ્ટિંગ અને હોસ્પિટલ આઇસોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે.
ગુજરાતમાં(Gujarat) ઓમિક્રોનનો(Omicron) ખતરો સતત વધી રહ્યો છે. કોરોના(Corona)વેરીએન્ટ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. તેવા સમયે રાજ્ય આરોગ્ય તંત્ર ઓમિક્રોનને લઇને એલર્ટ હોવાનો દાવો રાજયના અધિક આરોગ્ય સચિવે કર્યો છે.ગુજરાતના આરોગ્ય અધિક સચિવે આપી માહિતી આપતા જણાવ્યું હતું કે ઓમિક્રૉનને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.
તેમજ કન્ટેન્મેન્ટ ઝોન અને સાવચેતીના પગલાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જેમાં માત્ર અમદાવાદમાં ઓમિક્રોનના 9 દર્દીઓ નોંધાયા છે..સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે… લંડનથી પરત ફરેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે..તો કોરોના અને ઓમિક્રોનની વધતી આફતને લઈને સરકાર પણ ચિંતિત બની છે..અને અણધારી આફતને લઈને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી..જેમાં ઓમિક્રૉનની સ્થિતિ અને કોરોના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : RAJKOT: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.Comનું પેપર ફૂટ્યું હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ
આ પણ વાંચો : ગુજરાતમાં પેપર લીક કાંડ બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે હેશટેગ Resign_AsitVora