RAJKOT: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.Comનું પેપર ફૂટ્યું હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ

આ અંગે આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીની માગણી છે કે આ મુદ્દે યોગ્ય તપાસ થાય અને જો પેપર લીક થયું છે તો આરોપીને તાત્કાલિક ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:11 PM

RAJKOT:  રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે. હવે આમ આદમી પાર્ટી પેપર કોના દ્વારા ફોડવામાં આવ્યું તે અંગે ફરિયાદ નોંધાવવા પહોચી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો પરંતુ પેપર સવારે 9 વાગ્યાથી જ વોટ્સએપ પર ફરતું થયું હતું.

આ અંગે આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીની માગણી છે કે આ મુદ્દે યોગ્ય તપાસ થાય અને જો પેપર લીક થયું છે તો આરોપીને તાત્કાલિક ઝડપી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે. આમ આદમી પાર્ટીએ એવું પણ કહ્યું હતું કે, કુલપતિએ તેમને તપાસ કરી પગલાં લેવાની ખાતરી આપી છે.

જો કે, વધુ એક પેપર લીકના આક્ષેપથી અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે, પેપર કોણે લીક કર્યું ? પેપરના સીલ ક્લાસરૂમમાં સુપરવાઈઝર વિદ્યાર્થીઓને બતાવીને ખોલતા હોય છે. તો આ પેપર ક્યાંથી આવ્યું ? પેપર કોની કોની પાસે પહોંચ્યું છે ? B.Comનું પેપર લીક કરવાના પણ લાખો રૂપિયા લેવાયા છે ? દરેક પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી જ રીતે ચેડાં કરવામાં આવી રહ્યા છે ? સવારની ઘટનામાં અત્યાર સુધીમાં કેમ નથી થઈ કોઈ કાર્યવાહી ?

આ પણ વાંચો : ગુજરાતમાં ઓમિક્રોનને લઇને આરોગ્ય વિભાગ સતર્ક, કહ્યું ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં વધારો કરાયો

આ પણ વાંચો : Ahmedabad : GLS યુનિવર્સિટીમા ABVPના કાર્યકર્તાઓ પર રેગિંગ કરવાનો આક્ષેપ, ઘટનાનો વિડીયો વાયરલ

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">