રાજકોટમાં રમાનારી વનડે મેચમાં ફ્રી એન્ટ્રીથી ભીડ ઉમટવાની સંભાવના, દિલ્હી બ્લાસ્ટ બાદ વધારાઈ સુરક્ષા, જુઓ Video
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ સહિતના તમામ શહેરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ સહિતના તમામ શહેરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 13નવેમ્બર એટલે આવતીકાલથી ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ વચ્ચે વન-ડે મેચ રમાવા જઈ રહી છે. જેના પગલે પોલીસે કડક તપાસ હાથ ધરી છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર મેચમાં એન્ટ્રી ફ્રિ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. કોઈ પણ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસના જવાનો રહેશે. જિલ્લા પોલીસની હાજરીમાં સ્ટેડિયમનું ચેકિંગ કરાયું છે. ભારતીય ટીમના અનેક સ્ટાર ખેલાડી વનડે મેચ રમશે. જેના પગલે તેમની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 12, 2025 11:32 AM
