Rajkot : બાયો ડિઝલના કાળા કારોબાર મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનો હુંકાર
રાજયમાં છેલ્લા ઘણા સમયથી બાયો ડિઝલના કાળા કારોબાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને, છાશવારે બાયોડિઝલના કાળા કારોબારને લઇને સમાચારો આવતા રહે છે.
Rajkot : રાજયમાં છેલ્લા ઘણા સમયથી બાયો ડિઝલના કાળા કારોબાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને, છાશવારે બાયોડિઝલના કાળા કારોબારને લઇને સમાચારો આવતા રહે છે. ત્યારે આ મામલે સરકાર ચિંતિત છે. ત્યારે આ મામલે રાજય સરકારના મંત્રીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. બાયો ડિઝલના કાળા કારોબાર પર રાજયના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે બાયો ડિઝલનો કાળો વેપાર 100 ટકા નાબુદ થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે. આ સાથે આ મામલે પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને મોટા પાયે દરોડાની કાર્યવાહી કરવામાં આવશે. અને, બાયો ડિઝલ અંગે દરોડા કરવા એ સતત ચાલતી પ્રક્રિયા છે.
Latest Videos
Latest News