Rajkot માં રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર

સરકારી ચોપડે નોંધાયેલા આંકડાની વાત કરીએ તો, ડેન્ગ્યુના 9, મેલેરિયાના 7 અને ચીકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. જ્યારે સામાન્ય શરદી-ઉધરસ અને તાવના 573 કેસ નોંધાયા. આ આંકડા ફક્ત સરકારી હોસ્પિટલના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 3:22 PM

રાજકોટ(Rajkot) શહેરમાં રોગચાળા વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો(Epidemic)  વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી છે.. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ જોવા મળ્યા છે.સરકારી ચોપડે નોંધાયેલા આંકડાની વાત કરીએ તો, ડેન્ગ્યુના 9, મેલેરિયાના 7 અને ચીકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. જ્યારે સામાન્ય શરદી-ઉધરસ અને તાવના 573 કેસ નોંધાયા. આ આંકડા ફક્ત સરકારી હોસ્પિટલના છે. જ્યારે ખાનગી હોસ્પિટલનો આંકડો ખૂબ જ વધારે છે. રોગચાળો ખૂબ જ વકરવા છતાં કોર્પોરેશન તંત્ર એવા દાવા કરી રહ્યું છે કે રાજકોટમાં આરોગ્યલક્ષી તમામ કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે.

આ પણ વાંચો : લો બોલો, હવે ફૂલના પણ મળશે માસ્ક !! નથી આવતો વિશ્વાસ તો વાંચો આ સમાચાર

આ પણ વાંચો : India UAE Flights : ભારતથી દુબઇ જનારા પ્રવાસીઓ માટે ખુશખબર, વેકિસનેશન સર્ટિફિકેટની જરૂર નથી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">