Rajkot : કોઠારિયા વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન, અનેક વખત રજૂઆત છતાં કોઇ ઉકેલ નહિ
રાજકોટના વોર્ડ નંબર-18માં આવેલી હરિદ્વાર સોસાયટીમાં બિસ્માર રસ્તાથી કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમજ લોકોને ચાલવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. જેમાં આ વિસ્તારમાં લોકોનો આક્ષેપ છે આ અંગે અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ(Rajkot) ના કોઠારિયા વિસ્તારમાં બિસ્માર રસ્તા(Road)થી સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. જેમાં વોર્ડ નંબર-18માં આવેલી હરિદ્વાર સોસાયટીમાં બિસ્માર રસ્તાથી કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમજ લોકોને ચાલવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. જેમાં આ વિસ્તારમાં લોકોનો આક્ષેપ છે આ અંગે અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. જેના લીધે વરસાદની સિઝનમાં આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ બિસ્માર રસ્તાના લીધે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે અને ગંદકીના લીધે રોગચાળાનો ભી પણ સેવાય રહ્યો છે.
આ પણ વાંચો : IND vs SL: આ કારણે કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા 8 ક્રિકેટરોએ આ કારણે કોરોના પ્રોટોકોલમાં જવુ પડ્યુ
આ પણ વાંચો : નિક જોનાસ વગર પ્રિયંકા ચોપરા લંડનમાં કોની સાથે મસ્તી કરી રહી છે ? એક્ટ્રેસે શેર કરી તસ્વીર