રાજકોટના જેતપુરમાં પાક નુકસાનીથી ખેડૂત લાચાર, પશુઓને પાક ચરવા મૂકી દીધા

રાજકોટના જેતપુરના વિરપુરના ખેડૂતનો આક્ષેપ છે કે વરસાદને કારણે તેમના ખેતરમાં નુકસાની ગઇ છે અને આજ દિન સુધી કોઇ સર્વે કરવા આવ્યો નથી. તેમજ મોટા પાયે પાકમાં નુકસાન જતા ખેડૂતે નિરાશ થઇ પશુઓને પાક ચરવા માટે મૂકી દીધા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 8:06 PM

રાજકોટ(Rajkot) જેતપુર  જિલ્લાના વિરપુરમાં(Virpur)  એક ખેડૂતે પોતાના ખેતરમાં પશુઓને ચરવા માટે મુક્યા છે. આ ખેડૂતોનો(Farmers)  આક્ષેપ છે કે વરસાદને(Rain) કારણે તેમના ખેતરમાં નુકસાની ગઇ છે અને આજ દિન સુધી કોઇ સર્વે કરવા આવ્યો નથી. તેમજ મોટા પાયે પાકમાં નુકસાન જતા ખેડૂતે નિરાશ થઇ પશુઓને પાક ચરવા માટે મૂકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ ખેડૂતે 5 વિઘામાં ડુંગળી વાવી હતી, જે વધુ વરસાદને કારણે નિષ્ફળ નિવડી હતી.

જો કે સરકાર દ્વારા અતિવૃષ્ટિના પગલે સર્વે કરીને ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ દરમ્યાન રાજકોટ કોંગ્રસે પણ અનેક ખેડૂતોની જમીન અને ગામમાં સર્વે કરવામાં નહિ આવ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકારને વાસ્વતીક રીતે નુકશાનીનો રિ- સર્વે કરવાની માંગ કરી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા છે કે, ઉપલેટા તાલુકાના અનેક ગામના નામ લીસ્ટમાંથી ગાયબ છે. તેમણે સરકાર વિરૂદ્ધ ચીમકી ઉચ્ચારી છે કે, ખેડૂતોને વળતર નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ અંગે જણાવતા ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે અધિકારીઓએ માત્ર ઓફિસમાં બેસીને નુકશાનીનો સર્વે કર્યો છે.

તેમજ વાસ્તવમાં ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હોત તો ખેડૂતોને થયેલ વાસ્તવિક નુકશાનનો ચિતાર સરકાર સુધી પહોંચ્યો હોત. તેમજ સર્વેમાં અનેક ગામોમાં નામ ગાયબ છે જયા સૌથી વધારે નુકસાન થયું છે. તેથી અમારી માંગ છે કે સર્વે ટીમ દ્વારા જે ગામોને વધુ નુકશાન થયું છે તેનો સર્વે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

આ પણ વાંચો : રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસ, ડુંગળી અને સોયાબીનની આવક શરૂ

આ પણ વાંચો :  ગુજરાતની કોરોના રસીકરણમાં સિધ્ધિ, 90 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">