રાજકોટ અગ્નિકાંડ પીડિત પરિવારોએ રજૂ કરી 12 માગ, કહ્યું જો માંગણી નહીં ઉકેલાય તો રાજકોટથી સીએમ આવાસ સુધી કૂચ કરાશે

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારજનો આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાત બાદ, પીડિત પરિવારના સભ્યે કહ્યું કે, સરકાર સાથે હોવાની વાત કરે છે, પરંતુ લેખિતમાં કાંઈ આપતી નથી.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 10, 2024 | 6:23 PM

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ્નિકાંડના પીડિત પરિવારજનોએ આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પીડિત પરિવારોએ સરકાર સમક્ષ 12 માગ રજૂ કરી હતી. જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પીડિત પરિવારો રાજકોટથી ગાંધીનગર સીએમ હાઉસ સુધી કૂચ કરશે.

પીડિત પરિવારે એમ પણ કહ્યું હતું કે, આજની મુલાકાતમાં મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું કે સરકાર તમારી જોડે છે. પરંતુ લેખિતમાં બાંહેધરી માગી તો સરકારે આપી નથી. Trp ગેમીગ મામલે એક કમિટી બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના બે નિવૃત જજ, ગુજરાત હાઇકોર્ટેના નિવૃત બે જજ સહિત એક સિવિલ કોર્ટના નિવૃત મહિલા જજનું તપાસ પંચ બનાવવામાં આવે. સુજાતા મજૂમદાર, અને નિર્લિપ્ત રાયનો કમિટીમાં સમાવેશ કરવામાં આવે. આ કમિટી 6 માસમાં તપાસ કરીને રિપોર્ટ આપે. ભાજપના કાઉન્સિલર સહિત ધારાસભ્યની સંડોવણી નીકળી તો પગલાં ભરીને એસીબી અને સીબીઆઈ તપાસ કરાવાય. જુના અને નવા કાયદા પ્રમાણે, અપરાધીને મૃત્યુ દંડ  આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તક્ષશીલા, મોરબી કાંડ, હરણી બોર્ટ કાંડ સહિત અન્ય કાંડમાં બેજવાબદાર અધિકારીઓની કામગીરી સામે આવી છે, જેથી તેમની મિલકતની તપાસ થાય અને કડક પગલાં ભરવામાં આવે. મૃત્યુ પામનારાના પરિવારને 50 લાખથી વધુ આર્થિક સહાય કરવામાં આવે. જવાબદારોને સસ્પેન્ડ કરવાથી કશુ નહીં થાય તેમ જણાવતી પીડિત પરિવારજનોએ કહ્યું કે, સસ્પેન્ડ કરેલા અધિકારીઓ 6 માસ પછી નોકરી પર પરત આવશે. જવાબદારને નોકરીમાંથી કાઢી મૂકો અને જેલમાં નાખો, જેણે પરિવારના સભ્યો ખોયા હોય તેમને પૂછો કે પીડા કેવી હોય છે.

 

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">