Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ એરપોર્ટ આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજકોટ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ત્રણ દિવસ સુધી ઓપરેટ નહિ કરવામાં આવે.
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ એરપોર્ટ આજથી ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજકોટ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ત્રણ દિવસ સુધી ઓપરેટ નહિ કરવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ બાદ ભુજ એરપોર્ટ પણ બંધ કરાયું છે.
ભૂજ એરપોર્ટ કરાયું બંધ
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાના ભાગ રુપે રાજકોટ બાદ ભૂજનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ઓપરેટ કરવામાં નહીં આવે. તેમજ જામનગરનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.
શ્રીનગર એરપોર્ટ પર બંધ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે શ્રીનગર એરપોર્ટથી કોઈ પણ પેસેન્જર ફ્લાઇટ ઉડાન ભરશે નહીં. આજની બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દરમિયાન, ઇન્ડિગો એરલાઇન્સે પણ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ઇન્ડિગોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે બદલાતી એરસ્પેસ સ્થિતિના કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાલા જતી અને બધી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોએ એરપોર્ટ પહોંચતા પહેલા ઇન્ડિગોની વેબસાઇટ પર અપડેટ્સ તપાસવા આવશ્યક છે.
જોધપુર એરપોર્ટ પર બધી ફ્લાઇટ્સ રદ
જોધપુર એરપોર્ટ પર બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર આંતરિક સુરક્ષા અંગે સતર્ક છે. સામાન્ય જનતાને ગભરાવાની નહીં તેવી અપીલ કરવામાં આવી છે. ઉપરાંત, ફાઇટર જેટ સરહદ પરથી પસાર થઈ રહ્યા છે, ત્યારબાદ સાવચેતીના પગલા તરીકે, એર ઇન્ડિયાએ જોધપુર એરપોર્ટને બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય લોકો માટે બંધ કરી દીધું છે.