Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પીરાણા પોલીસ છાવણીમાં ફેરવાયુ, ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ, જુઓ Video

Ahmedabad : પીરાણા પોલીસ છાવણીમાં ફેરવાયુ, ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ, જુઓ Video

Harin Matravadia
| Edited By: | Updated on: May 09, 2024 | 2:15 PM

અમદાવાદમાં પીરાણામાં ધાર્મિક સ્થળ પર ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પથ્થરમારો થયો હતો. વિવાદ બાદ મામલો વધુ બિચકાતા પીરાણા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરી ગયા છે.

અમદાવાદમાં પીરાણામાં ધાર્મિક સ્થળ પર ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પથ્થરમારો થયો હતો. વિવાદ બાદ મામલો વધુ બિચકાતા પીરાણા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરી ગયા છે. પરંતુ હાલમાં પીરાણામાં શાંતિનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ જિલ્લા પોલીસનો પીરાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અસલાલી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામ – સામે ફરિયાદ નોંધાવી છે.

અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક પક્ષના 18 લોકો અને બીજા પક્ષના 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવી સહિતની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 09, 2024 02:13 PM
g clip-path="url(#clip0_868_265)">