વરસાદી સિઝન વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની લહેર, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

મેલેરિયાના (Malaria)48, ડેન્ગ્યુના 41, ચિકનગુનીયાના 3, કમળાના 71 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે.જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:22 AM

હાલ વરસાદી સિઝનને (Gujarat rain) કારણે અમદાવાદમાં રોગચાળો માથું ઉચકી રહ્યો છે.એક તરફ સ્વાઈન ફ્લૂ (Swine Flu) બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. આંકડાઓની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના ફક્ત 6 દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના 312 કેસ નોંધાયા છે.જ્યારે મેલેરિયાના (Malaria)48, ડેન્ગ્યુના 41, ચિકનગુનીયાના 3, કમળાના 71 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે.જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

શહેરીજનોને સતર્ક રહેવા મનપાની અપીલ

સાથે જ આરોગ્ય વિભાગે (Health department) શહેરીજનોને પણ સાવચેત રહેવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.રાજ્યમાં  પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તો જાણે ઘરે ઘરે વાયરલ ઈન્ફેક્શને હુમલો કર્યો હોય છે.કોરોનાના કેસ કરતા પણ બમણી ગતીથી મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે.

રાજકોટ શહેરમાં (Rajkot City) વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે,શહેરની સરકારી સહિત (Gov hospital)  ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓની OPD પણ વધી છે. સામાન્ય તાવથી (fever) માંડીને શરદી-ખાંસી અને ડેંન્ગ્યુ-મલેરિયા જેવા કેસ પણ નોંધાયા છે. શહેરમાં એકલા સ્વાઈન ફ્લુના (Swine flu)જ 10 જેટલા કેસ નોંધાયા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બિમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે,ત્યારે મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યૂના 10 કેસ અને મેલેરિયા તેમજ ચીકનગુનિયાના 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય શરદીના 359, તાવના 96 કેસ, ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">