Loksabha Election 2024 : લોકસભા માટે ભાજપના 8 અને કોંગ્રેસના 4 ઉમેદવાર આજે ફોર્મ ભરશે, વિધાનસભા બેઠકના 2 ઉમેદવાર નામાંકન કરશે

આજનો દિવસ પ્રચારના પડઘમથી ગુંજી ઉઠશે. જો ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો આજે લોકસભા માટેના 8 જેટલા ભાજપનાં ઉમેદવાર આજે નામાંકન ભરશે. જ્યારે વાઘોડિયાની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જ ઉમેદવારી ફોર્મ ભરાશે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2024 | 8:58 AM

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીના રણસંગ્રામનું રણશીંગુ ફુંકાઇ ગયું છે, ઉમેદવારો પોતાની જીત માટે આજે ઉમેદવારી પત્ર ભરશે.. ભાજપ અને કૉંગ્રેસ ગુજરાતની બેઠકો અંકે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.. આજે કેટલાક નેતાઓ રેલી અને સભા યોજી શક્તિ પ્રદર્શન કરશે.

લોકસભા માટે ભાજપના 8 ઉમેદવાર ફોર્મ ભરશે

આજનો દિવસ પ્રચારના પડઘમથી ગુંજી ઉઠશે. જો ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો આજે લોકસભા માટેના 8 જેટલા ભાજપનાં ઉમેદવાર આજે નામાંકન ભરશે. જ્યારે વાઘોડિયાની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જ ઉમેદવારી ફોર્મ ભરાશે.

મનસુખ માંડવિયા આજે ફોર્મ ભરશે

ભાજપના લોકસભા ઉમેદવારોની વાત કરીએ તો આજે અમદાવાદ પુર્વ બેઠકથી હસમુખ પટેલ, જ્યારે સુરેન્દ્રનગર બેઠકથી ચંદુ શિહોરા ઉમેદવારીનું ફોર્મ ભરશે. પંચમહાલ બેઠકથી રાજપાલસિંહ જાદવ નામાંકન ભરશે, પરંતુ જે બેઠક પર સૌની નજર છે તેવી હાઇ પ્રોફાઇલ પોરબંદર બેઠક પર દેશના આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા ઉમેદવારી નોંધાવશે.

તેમની સાથે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડિયા પણ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. જે બેઠક પર ચોપાંખિયો જંગ સર્જાવાની શક્યતા છે, તેવી ભરૂચ બેઠકથી સાંસદ મનસુખ વસાવા સાતમીવાર ઉમેદવારી નોંધાવશે. તો વલસાડથી ધવલ પટેલ, દમણથી લાલુ પટેલ, દાહોદથી જશવંતસિંહ ભાભોર નામાંકન ભરશે. ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાથી વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ભરશે.

કોંગ્રેસના 4 ઉમેદવાર ફોર્મ ભરશે

હવે વાત કરીએ કોંગ્રેસની તો બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર નામાંકન ભરશે. જ્યારે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા પણ આજે જ ઉમેદવારી પત્ર ભરશે. જામનગરથી જે.પી.મારવિયા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી નોંધાવશે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">