AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંહોના અપમૃત્યુ અંગે ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને લખ્યો પત્ર, વનવિભાગના અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો કર્યો આક્ષેપ

સિંહોના અપમૃત્યુ કેસમાં ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખી સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ધારાસભ્યે જણાવ્યુ છે કે જો અગાઉ જ વનવિભાગના અધિકારીઓએ સમય રહેતા તપાસ કરી હોત તો અનેક સિંહબાળને બચાવી શકાયા હોત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2025 | 3:50 PM
Share

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખીને જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા બે મહિનામાં “પાલીતાણા શેત્રુંજી ડીવીજન” અને “ધારી ગીર પૂર્વ ડીવીજન”માં સિંહોના મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે જો વન વિભાગના અધિકારીઓએ સમયસર સિંહબાળની તપાસ કરી હોત તો ઘણા મૃત્યુ અટકાવી શકાયા હોત. વાયરસના કારણે મૃત્યુ થયા હોવા છતાં અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ હીરા સોલંકીએ કર્યો છે. હીરા સોલંકીએ સિંહના મૃત્યુ પાછળ અધિકારીઓની ભૂલ, અણઆવડત અને નિષ્કાળજીને જવાબદાર ગણાવી છે.

હિરા સોલંકીએ જણાવ્યુ કે અગાઉ ભૂતકાળમાં પણ ધારીમાં આ પ્રકારે વાયરસ આવવાના કારણે સિંહોના મોત થયા હતા. તેમા ગંભીરતા બતાવી સમગ્ર તંત્ર કામે લગાવાયુ હતુ. હાલ તેમણે વનમંત્રીને પત્ર લખીને સિંહોના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી હોવાનું જણાવ્યુ હતુ.વાયરસગ્રસ્ત સિંહોને આઈસોલેટ કરી રસીકરણ કરવાની કામગીરી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યુ છે.

પહલગામ એટેક બાદ પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવાયા બાદ પણ ભારત ક્રિકેટ મેચ રમવાનું બંધ નહીં કરે, શું છે તેની પાછળની અસલી હકીકત?- વાંચો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">