AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંહોના અપમૃત્યુ અંગે ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને લખ્યો પત્ર, વનવિભાગના અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો કર્યો આક્ષેપ

સિંહોના અપમૃત્યુ કેસમાં ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખી સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ધારાસભ્યે જણાવ્યુ છે કે જો અગાઉ જ વનવિભાગના અધિકારીઓએ સમય રહેતા તપાસ કરી હોત તો અનેક સિંહબાળને બચાવી શકાયા હોત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2025 | 3:50 PM
Share

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખીને જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા બે મહિનામાં “પાલીતાણા શેત્રુંજી ડીવીજન” અને “ધારી ગીર પૂર્વ ડીવીજન”માં સિંહોના મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે જો વન વિભાગના અધિકારીઓએ સમયસર સિંહબાળની તપાસ કરી હોત તો ઘણા મૃત્યુ અટકાવી શકાયા હોત. વાયરસના કારણે મૃત્યુ થયા હોવા છતાં અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ હીરા સોલંકીએ કર્યો છે. હીરા સોલંકીએ સિંહના મૃત્યુ પાછળ અધિકારીઓની ભૂલ, અણઆવડત અને નિષ્કાળજીને જવાબદાર ગણાવી છે.

હિરા સોલંકીએ જણાવ્યુ કે અગાઉ ભૂતકાળમાં પણ ધારીમાં આ પ્રકારે વાયરસ આવવાના કારણે સિંહોના મોત થયા હતા. તેમા ગંભીરતા બતાવી સમગ્ર તંત્ર કામે લગાવાયુ હતુ. હાલ તેમણે વનમંત્રીને પત્ર લખીને સિંહોના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી હોવાનું જણાવ્યુ હતુ.વાયરસગ્રસ્ત સિંહોને આઈસોલેટ કરી રસીકરણ કરવાની કામગીરી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યુ છે.

પહલગામ એટેક બાદ પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવાયા બાદ પણ ભારત ક્રિકેટ મેચ રમવાનું બંધ નહીં કરે, શું છે તેની પાછળની અસલી હકીકત?- વાંચો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">