AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પારદર્શક સરકારમાં અપારદર્શક ! દાહોદના મનરેગા કૌંભાડમાં પ્રધાનપુત્રનુ નામ ગુંજ્યું

દાહોદમાં હાલ ચર્ચાઈ રહ્યા મુજબ, બચુભાઈ ખાભડ ગુજરાત સરકારમાં પંચાયત પ્રધાન હોવાથી પોલીસ, કિરણ અને બળવંત સુધી તટસ્થ તપાસ કરી શકશે નહીં. મનરેગાના રૂપિયા 71 કરોડના કૌંભાડના કેસમાં દૂઘનું દૂઘ અને પાણીનું પાણી કરવું હોય તો, બચુભાઈ ખાભડે પહેલા સરકારમાંથી રાજીનામુ આપીને નવી પહેલ કરવી જોઈએ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ચમરબંધીની શેહમાં આવ્યા વિના તપાસ કરે તો કૌંભાડનો રેલો અનેક મોટામાથાના પગ હેઠળ આવવાની સંભાવના છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2025 | 8:42 PM

ગુજરાતની પ્રમાણિક અને પારદર્શક સરકાર ઉપર ડાઘ લાગે તેવી ઘટના દાહોદમાં બની છે. દાહોદ જિલ્લાના ડીઆરડીએ પોલીસમાં મનરેગા હેઠળ રૂપિયા 71 કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને લઈને દાહોદ પથકમાં કથિત રીતે ગુજરાતના પંચાયત પ્રધાન બચુભાઈ ખાભડના પુત્ર કિરણ અને બળવંતનું નામ સંડોવાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રધાનપુત્ર કૌંભાડમાં સામેલ હોવાની શંકાને વધુ મજબૂત કરતી એક ઘટના એવી સામે આવી છે કે, પ્રધાનપુત્રે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે.

દાહોદ જિલ્લામાં ચાલતી મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેના આધારે દાહોદ પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કહેવાય છે કે, પંચાયત પ્રધાન બચુભાઈ ખાભડના પુત્રની એજન્સી પણ મનરેગાના 71 કરોડના કૌંભાડમાં સંડોવાયેલી છે. જેના કારણે તેમણે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે.

દાહોદમાં હાલ ચર્ચાઈ રહ્યા મુજબ, બચુભાઈ ખાભડ ગુજરાત સરકારમાં પંચાયત પ્રધાન હોવાથી પોલીસ, કિરણ અને બળવંત સુધી તટસ્થ તપાસ કરી શકશે નહીં. મનરેગાના રૂપિયા 71 કરોડના કૌંભાડના કેસમાં દૂઘનું દૂઘ અને પાણીનું પાણી કરવું હોય તો, બચુભાઈ ખાભડે પહેલા સરકારમાંથી રાજીનામુ આપીને નવી પહેલ કરવી જોઈએ અને ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ચમરબંધીની શેહમાં આવ્યા વિના તપાસ કરે તો કૌંભાડનો રેલો અનેક મોટામાથાના પગ હેઠળ આવવાની સંભાવના છે.

એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત
Insta પર નથી મળી રહ્યા વ્યૂઝ..તો અજમાવો આ ટ્રિક
કળા કરતો કે નાચતો મોર જોવો કઈ વાતનો સંકેત આપે છે?
Plant In Pot : ઘરે ઉગાડો અળસીનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 23-05-2025
ગુજરાતની ફેમસ 5 સ્વાદિષ્ટ મીઠાઈઓ વિશે જાણો

દાહોદના ચર્ચાસ્પદ રૂપિયા 71 કરોડના મનરેગા કૌંભાડ અંગે, પંચાયત પ્રધાન બચુભાઈ ખાભડે ટીવી9 ગુજરાતીને જણાવ્યું હતું કે, આ બદનામ કરવાનુ કાવતરુ છે. ઘણા સમયથી આક્ષેપ થતા આવ્યા છે. સમગ્ર ઘટના કોર્ટમાં ન્યાય માટે છે. તપાસ ચાલી રહી છે. તપાસનીશ અધિકારીની તપાસમાં બધુ બહાર આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">