Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાદલપરા ગામમાં કરાયેલા ડિમોલિશન સામે સ્થાનિકોનો વિરોધ, કોંગ્રેસે કહ્યુ રાજકીય ઈશારે હટાવાયુ દબાણ

બાદલપરા ગામમાં કરાયેલા ડિમોલિશન સામે સ્થાનિકોનો વિરોધ, કોંગ્રેસે કહ્યુ રાજકીય ઈશારે હટાવાયુ દબાણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2024 | 7:23 PM

ગીરસોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોએ આ કામગીરીને અયોગ્ય ગણાવી તો કોંગ્રેસ નેતા હીરા જોટવાએ રાજકીય ઈશારે ડિમોલિશન કરાયુ હોવાનો આરોપ લગાવ્યો

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશન કરવામાં આવ્યું . જ્યાં પહેલા નોટિસ આપવામાં આવી અને બાદમાં ડિમોલીશન કરવામાં આવ્યુ. અનેક સ્થાનિકોએ નોટિસ બાદ તેમને સાંભળવાની તક ન આપી હોવાનું જણાવ્યુ. ટિસ બાદ બાદલપરા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને કલેકટરને અરજી આપીને મિલ્કતની માપણીની માગ કરી. તો ઘણા સ્થાનિકોએ ડિમોલિશનને યોગ્ય ગણાવ્યુ.

કોંગ્રેસ નેતા હીરા જોટવાએ આ ડિમોલીશન રાજકીય ઈશારે થયુ હોવાનું જણાવ્યુ ને ધારાસભ્ય ભગવાન બારડ પર આક્ષેપ કર્યો અને કહ્યું કે બાદલપરા ગામ ભગવાન બારડનું છે અને તેમના ઈશારે સરકારી જમીનનું ડિમોલિશન કર્યુ જણાવ્યુ. આ મામલે ભગવાન બારડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે જિલ્લાભરમાં આ કામગીરી ચાલે છે. મામ સરકારી જગ્યાઓ પર ડિમોલિશન થઈ રહ્યું છે અને કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા છે

આ મામલે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીના સૂચના અભિયાન મૂજબ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોમાં ડિમોલિશન કર્યુ હોવાનું જણાવ્યુ. સાથે આ ડિમોલિશનમાં કોઈ પણ પ્રકારનો રાજકીયહસ્તક્ષેપ કે કીન્નાખોરી ન હોવાનું જણાવ્યું

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">