AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં રોડના કામ મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ નબળા બાંધકામ મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા- જુઓ Video

અમરેલીમાં રોડ રસ્તાના કામો મુદ્દે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓેને ઉધડો લીધો છે. વાઘણીએ લીલીયા રોડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ દરમિયાન નબળુ બાંધકામ જણાતા તેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2025 | 7:27 PM
Share

અમરેલીમાં રોડ રસ્તાની બિસમાર હાલતને લઈને અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. વર્ષોથી અમરેલી જિલ્લાના રસ્તાઓ બિસમાર હાલતમાં છે અને જે નવા બને છે તે પણ એક જ વરસાદમાં ધોવાઈ છતા હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. નબળી ગુણવત્તાની કામગીરીને કારણે નવાનકોર રસ્તાઓ પણ થોડા મહિનાઓમાં જ બિસમાર બની જાય છે. ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે લીલીયા રોડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ તકે તેમની સાથે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા પણ હાજર હતા. રોડ નિરીક્ષણ સમયે નબળા બાંધકામને લઈને જીતુ વાઘાણીએ અધિકારીઓને રીતસરના ખખડાવતા જોવા મળ્યા હતા.

અમરેલીમાં એક વર્ષ પહેલા બનેલા રોડનું પણ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ નિરીક્ષણ કર્યુ હતુ. એક વર્ષ પહેલા બનેલો રોડ પણ જર્જરીત બનતા મંત્રીએ એ મુદ્દે પણ અધિકારીઓને ટપારતા જોવા મળ્યા હતા. જીતુ વાઘાણી લીલીયા રોડ પર પુલની બંને બાજુના રોડના નબળા બાંધકામ મુદ્દે ઠપકો આપ્યો હતો. કલેક્ટર ઓફિસે વિકાસ કામગીરી માટે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જીતુ વાઘાણી અમરેલીના પ્રભારી મંત્રીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, જેને લઈને તેમણે જિલ્લામાં રોડ રસ્તાના કામોનું નિરીક્ષણ કર્યુ હતુ.

આ તકે વાઘાણીએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીનો અધિકારીઓને સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ સંજોગોમાં કોઈપણ ભોગે રોડ-રસ્તાના કામોમાં કોઈપણ સમાધાન કરવામાં આવશે નહીં. સ્હેજ પણ નબળુ કામ ચલાવી લેવામાં નહીં આવે. જે બાદ કલેક્ટર કચેરીએ રસ્તાની કામગીરી અંગે બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર રસ્તાના કામમાં કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવાના મૂડમાં ન હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. જે બાદ ભ્રષ્ટ અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

કરોડો હિંદુઓની આસ્થાના ધામ સમા રામમંદિરમાં 25 નવેમ્બરે થશે ધ્વજારોહણ, 30 મિનિટના શુભ મુહૂર્તમાં આટોપી લેવાશે તમામ વિધિ

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">