AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ, તંત્રને લગાવી કડક શબ્દોમાં ફટકાર, કહ્યું GPCB અને AMC લોકોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ, તંત્રને લગાવી કડક શબ્દોમાં ફટકાર, કહ્યું GPCB અને AMC લોકોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે

Ronak Varma
| Edited By: | Updated on: Jul 29, 2024 | 7:56 PM

સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે ફરી તંત્રને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે અને અમ્યુકોના જવાબ સામે હાઈકોર્ટે સખ્ત નારાજગી દર્શાવી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફટકાર લગાવી કે GPCB અને AMC લોકોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે.

ફરી એકવાર સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘુમ થઈ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે અને કહ્યુ છે કે GPCB અને AMC લોકોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે. હાઈકોર્ટે અમ્યુકોના જવાબ સામે પણ સખ્ત નારાજગી દર્શાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે AMC પોતાની જવાબદારી અન્યના માથે ન નાખી શકે, તંત્ર નદીના પ્રદૂષણના મામલે થતાં મોનિટરીંગમાં નિષ્ફળ નિવડ્યુ છે. કોર્ટે જણાવ્યુ કે AMCનું તંત્ર માત્ર સંતાકૂકડી રમી રહ્યું છે.

“મેગા પાઇપલાઇનની વાતો કરતા હતા તે માટે શું કરી રહ્યા છો, તેનું સોગંદનામુ આપો”

બીજી તરફ ટાસ્ક ફોર્સની નબળી કામગીરી સામે પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા અને જવાબદાર અધિકારીઓ પાસે કોર્ટે ખુલાસો માગ્યો છે. કોર્ટે જવાબ માગ્યો કે ચેકિંગનો કોઇ નિયમ છે કે પછી મરજી થાય ત્યારે ચેકિંગ કરો છો? CETP બરાબર કામ નથી કરતું તો તેના મોનિટરિંગનું કામ કોનું? CETPના નિરીક્ષણ માટે શું કરવામાં આવી રહ્યું છે? કોર્ટે નારોલ CETP માટે ખાસ રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે. તમામ CETPની કાર્યક્ષમતા અંગે અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો છે. જે એકમો ઉદ્યોગો આદેશનું પાલન ન કરે તેને સદંતર બંધ કરવામાં હુકમ કર્યો છે.

આ તરફ AMC કમિશનર પાસે પણ ગુજરાત હાઇકોર્ટે ખૂલાસો માંગ્યો કે જે મેગા પાઇપલાઇનની વાતો કરતા હતા તે માટે શું કરી રહ્યા છો, તેનું સોગંદનામુ આપો. તેમજ GPCBનાં રીજનલ ઓફિસર પાસે પણ કોર્ટે ખૂલાસો માગ્યો છે. સાબરમતી નદીને પ્રદૂષિત કરતો વીડિયો જોઈને પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી .સાબરમતી નદીના પ્રદુષણ મામલે કોર્ટ મિત્રએ મોટો ખુલાસો રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે પ્રદુષિત પાણીનાં નિકાલ માટે રિવર્સ બોરનો ઉપયોગ કરાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 29, 2024 07:55 PM
g clip-path="url(#clip0_868_265)">