Ahmedabad : વિરમગામ અંધાપાકાંડ કેસમાં સુઓમોટો અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી,રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યુ

અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

Ronak Varma
| Edited By: | Updated on: Feb 07, 2024 | 2:49 PM

અમદાવાદ જિલ્લાના વિરમગામ અંધાપાકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી.જે પછી આ કેસમાં આજે પ્રથમ વખત સુનાવણી હાથ ધરાઇ. જે પછી રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં વિગતવાર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું.

રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ જનરલે જે માહિતી આપી છે તે મુજબ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો થતો હોવાની વાત જણાવવામાં આવી.અત્યાર સુધી 50 કે એનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું, તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે

એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યુ કે હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ચેરીટેબલ ટ્રસ્ટ કે NGO તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા ચાલે છે. અંધાપાકાંડ જેવી ઘટનાઓ ન બને એ માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે.

કોર્ટ મિત્રે પોતોના સૂચન રજૂ કર્યા

કોર્ટ મિત્ર જે નિમાયા છે તેમણે પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. કોર્ટ મિત્રે જણાવ્યુ હતુ કે ડૉક્ટર્સની જવાબદારી નક્કી કરવી લગભગ અશક્ય છે. હાલના નિયમ અને જોગવાઈ ‘નખ વગરના વાઘ’ જેવા છે. સરકાર સુધારાત્મક પગલાં લે એ આવકારદાયક છે, પરંતુ સજા અને દંડની કડક જોગવાઈ પણ જરૂરી છે. સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે ડૉક્ટર્સ જો કોર્પોરેટ કલ્ચર પ્રમાણે સેલેરી ઈચ્છતા હોય તો એ પ્રમાણે કામ કરે . આ કેસમાં 22 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. આ વચ્ચે હાઇકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સુઓમોટો પિટિશન દાખલ કરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">