Gujarati Video: H3N2 વાયરસને લઈને ચિંતા કરવાની નથી જરૂર, જાણો પલ્મોનોલોજિસ્ટ મુકેશ પટેલે કોને સાવચેત રહેવા જણાવ્યુ ?

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસીસમાં અને વાયરલ કેસમાં ઉછાળો આવ્યો છે. જેમા ખાસ કરીને વાયરલ કેસમાં તદ્દન અલગ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ લક્ષણો અંગે TV9 ગુજરાતી દ્વારા જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉ મુકેશ પટેલે સાથે ખાસ વાતચીત કરવામાં આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 12:46 PM

રાજ્યમાં છેલ્લા માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે રાજ્યમાં ડબલ ઋતુને પગલે વાયરલ કેસ પણ વધ્યા છે. જેમા આ વખતે જે વાયરલ કેસ સામે આવી રહ્યા છે. તેમા અલગ પ્રકારના જ લક્ષણો દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. જેમા શરીર તૂટવુ, લાંબા સમય સુધી ખાંસી રહેવી જેવા ખાસ લક્ષણો જોવા મળી રહ્યા છે. આ અંગે TV9 ગુજરાતી દ્નારા જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉ મુકેશ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી.

H3N2ના કેસમાં ચિંતાજનક વધારો

TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં ડૉ મુકેશ પટેલે જણાવ્યુ કે હાલ ગુજરાતમાં કોરોના H3N2ના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 20થી30 ટકા દર્દીઓ વધ્યા છે. જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર મુકેશ કહ્યુ કે કોરોના અને H3N2ના કેસને લઈને ચિંતા કરવાની જરૂર નથી. મોટાભાગના દર્દીઓને ટેસ્ટની જરૂર નથી. જે લોકો પહેલાથી જ કેન્સર, કિડની, ટીબીની બીમારી ધરાવતા હોય તેવા દર્દીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. બાકી તો મોટાભાગના લોકો સામાન્ય સારવારથી જ સાજા થઈ જાય છે.

દરેક દર્દીને ટેસ્ટની કે એન્ટીબાયોટિક લેવાની જરૂર નથી

જો તાવ, શરદી, ઉધરસ અને ગળામાં દુ:ખાવો હોય તો આરામ કરવાની સાથે વધુ પ્રવાહીવાળો ખોરાક લેવો જરૂરી છે. જ્યારે હાઈરિસ્ક દર્દી હોય, તેનુ ઓક્સિજન લેવલ ઓછુ થતુ જતુ હોય અને જ્યારે સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય ત્યારે જ દર્દીઓ ટેસ્ટ કરાવવો જોઈએ તેમ ડૉ મુકેશ પટેલે જણાવ્યુ હતુ. ટેસ્ટિંગ અંગે ડૉ મુકેશ પટેલે જણાવ્યુ કે દરેક દર્દીને ટેસ્ટની જરૂર નથી હોતી એ જ ટ્રીટમેન્ટમાં પણ દરેક દર્દીને એન્ટી વાયરલ કે એન્ટી બાયોટિક લેવાની પણ જરૂરિયાત નથી હોતી.

આ પણ વાંચો: Coronavirus: કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધારે પ્રભાવિત કરે તે જરુરી નથી, AIIMSનાં ડાયરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કર્યો ખુલાસો

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">