AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે, સાંજે અમદાવાદ ઍરપોર્ટ પર થશે આગમન

Gujarati Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે, સાંજે અમદાવાદ ઍરપોર્ટ પર થશે આગમન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 12:10 PM
Share

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ અમદાવાદ આવશે. આવતીકાલે 49મી ડેરી ઈન્ડ્રસ્ટ્રીઝ કોન્ફરન્સમાં તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબા તેઓ ગાંધીનગર જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચશે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર જશે. ગાંધીનગરમાં જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સિવિલમાં અમિત શાહના દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરશે. વડોદરાની MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે. રવિવારે અમિત શાહ જૂનાગઢ માર્કેટ યાર્ડના લોકાર્પણ પ્રસંગમાં જશે.

આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ 18 માર્ચે ગાંધીનગરમાં ભારતીય ડેરી ફેડરેશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠકમાં હાજરી આપશે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફ્રી ફૂડ કેમ્પેઈનનો પ્રારંભ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપતા પૂર્વે શાહ નારદીપુર તળાવના ઉદ્ઘાટન ઉપરાંત વાસણ તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્દઘાટન પણ કરશે.

તેવો 19 માર્ચે જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શને જશે. ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાંજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

આ પણ વાંચો: Gujarati Video : રોજના 70 હજાર વાહનચાલકોને હવે ટ્રાફિક જામથી મળશે છુટકારો, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે 97 કરોડના ખર્ચે સનાથલ જંકશનના બ્રિજનું ઇ-લોકાર્પણ

 

g clip-path="url(#clip0_868_265)">