AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: સૌરાષ્ટ્રને પણ વંદે ભારત ટ્રેનની સુવિધા આપવાની ઉઠી માગ, સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે મંત્રીને લખ્યો પત્ર

Rajkot: ગુજરાતમાં હાલ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રને પણ વંદે ભારત ટ્રેનની સુવિધા આપવાની માગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 10:00 PM
Share

હવે સૌરાષ્ટ્રને પણ વંદે ભારત ટ્રેનની સુવિધા આપવા માગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માગ કરી છે. સાંસદે આ માટે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર પણ લખ્યો છે. સાંસદ રામ મોકરીયાએ જણાવ્યું છે કે વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવાય તો સૌરાષ્ટ્રના યાત્રિકોને લાભ થશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લખ્યો પત્ર

સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં વંદે ભારત ટ્રેનને લંબાવવાની માગ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વંદે ભારત ટ્રેન રાજકોટ સુધી લંબાવાથી સૌરાષ્ટ્રને ઘણો લાભ થશે.

ગાંધીનગર- અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પ્રથમ પસંદ બની છે. આ ટ્રેન શરૂ થઈ ત્યારથી હાઉસફૂલ જઈ રહી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 70થી 110 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનમાં રોજનું સરેરાશ 200 વેઈટિંગ હોય છે. આના પરથી લાગી રહ્યું છે કે લોકોમાં શતાબ્દી કરતા પણ વધારે વંદે ભારત ટ્રેનનો ક્રેઝ છે.

આ પણ વાંચો: Vande Bharat Train: મુસાફરો માટે આનંદના સમાચાર, હવે વંદે ભારત ટ્રેનમાં મળશે સ્લીપર કોચની સુવિધા, વાંચો આ અહેવાલ

વંદે ભારતની વિશેષતાની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન દેશમાં જ વિકસિત કરવામાં આવેલી ‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પહેલી ટ્રેન છે. જે GSM / GPRS, ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર જેવી સુવિધાઓ અને 0 થી 100 કિમી સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરનારી ટ્રેન છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે.

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">