AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી મુંબઈને આપશે વંદે ભારત ટ્રેનની ભેટ, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ, કોલાબા, એમઆરએ માર્ગ, એમઆઈડીસી અને અંધેરી સહિતના વિસ્તારોમાં ડ્રોન અને ઉડ્ડયન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

PM મોદી મુંબઈને આપશે વંદે ભારત ટ્રેનની ભેટ, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
Vande Bharat Train
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 2:21 PM
Share

PM નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ, કોલાબા, એમઆરએ માર્ગ, એમઆઈડીસી અને અંધેરી સહિતના વિસ્તારોમાં ડ્રોન અને ઉડ્ડયન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

મુંબઈ અને સોલાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડશે

તમને જણાવી દઈએ કે મુંબઈને બે વંદે ભારત ટ્રેન મળવાની શક્યતા છે. એવું કહેવામાં આવ્યું હતું કે મુંબઈ અને સોલાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ભોર ઘાટથી દોડે તેવી શક્યતા છે. આ ટ્રેન 6.35 કલાકમાં બંને સ્થળો વચ્ચે લગભગ 400 કિમીનું અંતર કાપશે તેવી અપેક્ષા છે. બીજી તરફ, મુંબઈ-શિરડી હાઈ-સ્પીડ ટ્રેન થલ ઘાટથી દોડે તેવી શક્યતા છે. આ ટ્રેન 5.25 કલાકમાં અંદાજે 340 કિમીનું અંતર કાપશે.

ટ્રેનને ઢોળાવ પરથી નીચે ઉતરતી અટકાવવા ખાસ વ્યવસ્થા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહની અંદર ચેન્નાઈની ઈન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરીમાંથી ટ્રેન મળવાની અપેક્ષા છે અને તે પછી બંને ઘાટ વિભાગો પર ટ્રાયલ રન તરત જ શરૂ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ઘાટ વિભાગોમાં લોકોમોટિવ્સની સમસ્યાને દૂર કરવા માટે, વંદે ભારત એક્સપ્રેસની બંને ટ્રેનોમાં પાર્કિંગ બ્રેક લગાવવામાં આવશે, જે ટ્રેનને ઢોળાવ પરથી નીચે ઉતરતી અટકાવશે.

વડાપ્રધાનના શેડ્યુલ મુજબ, તેઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી સાંઈ નગર શિરડી અને સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મળતી માહિતી મુજબ, બંને ટ્રેનોનું નિર્માણ ચેન્નાઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે.

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
g clip-path="url(#clip0_868_265)">