AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગંભીરા બ્રિજ પર 15 દિવસથી લટકતું ટેન્કર આખરે નીચે ઉતરશે, સરકારે આપી સૂચના - જુઓ Video

ગંભીરા બ્રિજ પર 15 દિવસથી લટકતું ટેન્કર આખરે નીચે ઉતરશે, સરકારે આપી સૂચના – જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 23, 2025 | 3:40 PM
Share

ગુજરાતમાં આણંદ અને વડોદરાને જોડતો તેમજ સૌરાષ્ટ્ર જવા માટેનો ખાસ ગંભીરા બ્રિજ બેદરકારીને કારણે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં છેલ્લા 15 દિવસથી લટકી રહ્યો છે, જેને ઉતારવાની સૂચના સરકારે આપી છે.

ગુજરાતમાં આણંદ અને વડોદરાને જોડતો તેમજ સૌરાષ્ટ્ર જવા માટેનો ખાસ ગંભીરા બ્રિજ બેદરકારીને કારણે તૂટી પડ્યો હતો. આ ઘટનાને લઈને જનતામાં ભારે રોષ ફેલાયો હતો. જો કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સામે લાલ આંખ કરી હતી.

હાલમાં બનેલ આ ઘટનાને લઈને કેબિનેટમાં ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે, આ ઘટનામાં એક ટેન્કર છેલ્લા 15 દિવસથી બ્રિજ પર લટકેલું છે.  આ કેબિનેટમાં ટેન્કરને ઉતારવાની કવાયત તૈયાર કરવામાં આવી છે. 15 દિવસ સુધી લટકેલું આ ટેન્કર હેવી ક્રેનની મદદથી ઉતારી આપવા સરકારની સૂચના છે. આણંદ કલેક્ટરને 2 દિવસની અંદર ટેન્કર ઉતારવાની સૂચના અપાઈ છે.

જણાવી દઈએ કે, એર ફોર્સે હેલિકોપ્ટરથી ટેન્કર ઉતારવાનો ઇન્કાર કર્યો. નોંધનીય છે કે, માર્ગ અને મકાન વિભાગની વિનંતી માન્ય રાખવામાં ન આવી. 20 ટન વજન અને 50 મીટરની ઊંચાઈએ ટેન્કર લટક્યું છે. હાલમાં ટેન્કર ઉતારવાની ક્ષમતા ધરાવતી ક્રેન શોધવા માટે પ્રશાસનની દોડધામ ચાલુ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">