ગુજરાતમાં IAS અધિકારીઓની બદલીના આદેશ, M K દાસની CMOમાં વાપસી, જાણો શું છે આખું ગણિત
મોટા પાયે IAS અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં 18 જેટલા સિનિયર IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જયંતી રવિની ગુજરાતમાં વાપસી થઈ છે. મહત્વનું છે કે, અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે.
લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કારવામાં આવ્યા છે. ગુજરાતમાં બદલીઓનો દોર શરૂ થયો છે, ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સિનિયર 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે.
અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા, અધિક મુખ્ય સચિવ એમ કે દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ સોપાયો. મહત્વની વાત એ છે કે જયંતી રવિને ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. પોંડીચેરીથી પરત બોલાવીની જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીમાં સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આઇ એ એસ અધિકારીઓની બદલી કરાઈ છે. ગુજરાત બહાર રહેલા ગુજરાત કેડરના અધિકારીઓને પાછા ગુજરાતમાં બોલાવાયા છે. રાજીવ ટોપનો, ટી નટરાજન અને જયંતિ રવિને પાછા ગુજરાતમાં બોલાવાયા છે. આ સનદી અધિકારીઓ વહીવટની ઊંડી સુજબુજ ધરાવે છે જેના કારણે વિશ્વબેંક, રક્ષા મંત્રાલય જેવી મહત્વની જગ્યાએ નિમણુક કરવામાં આવી હતી. આ અધિકારીઓ ગુજરાતમાં પરત ફરતા રાજ્યનું વહીવટી તંત્ર વધુ મજબૂત અને લોકોપયોગી કર્યો માટે આ અધિકારીઓનું સતત માર્ગદર્શન મળી રહેશે.
કોરોના વખતે આરોગ્ય વિભાગમાં કામગીરી કરનાર જયંતિ રવિને મહત્વના એવા મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે તો વિશ્વ બેંકમાંથી ગુજરાતમાં પરત બોલાવેલા રાજીવ ટોપને ને સ્ટેટ ટેક્સ વિભાગના મુખ્ય કમિશ્નર બનાવ્યા છે. ટી નટરાજન ને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવ્યા છે. તો વરિષ્ઠ સનદી અધિકારી એમ કે દાસ ને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે…
વડોદરાના મુનિસિપલ કમિશ્નર તરીકે રહી ચૂકેલા અને હાઈકોર્ટે જેમની સામે પગલાં ભરવા કહ્યું છે તે વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરાઈ છે.
Ias ની બદલી પાછળ શુ છે ગણિત ?
વહીવટી તંત્રમાં બદલીઓ એ સામાન્ય બાબત છે પરંતુ આ વખતની બદલીઓ ખાસ છે કેમ કે બદલીઓ પાછળ છેલ્લા કેટલાય સમય થી ચાલી રહ્યું હતું મંથન
બદલીઓ 3 મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે
- રાજ્ય સરકાર ના વહીવટીતંત્ર ને મજબૂત બનાવવું
- કોઠાસૂઝ વાળા અધિકારીઓ ને મહ્ત્વના ખાતા આપવા
- અધિકારી વર્ગમાં સેકેન્ડ કેડર તૈયાર કરવી
અત્યાર સુધી સીએમ કાર્યાલય માં 2 ઉચ્ચ અધિકારી હતા હવે 3 ઉચ્ચ અધિકારીઓ કાર્યરત રહેશે
મુખ્યમંત્રી કાર્યાલય માં મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાશ નાથન એક લાંબો સમય રહ્યા છે તેમની વહીવટી અને રાજકીય કોઠાસૂઝ નો કાયમ સરકાર ને ફાયદો રહ્યો છે અને એજ કારણ હતું કે ગુજરાત માં નરેન્દ્રમોદી મુખ્યમંત્રી હતા ત્યાર થી અત્યાર 11 વાર એકટેનશન આપવામાં આવ્યા હતા થોડા સમય પહેલા જ તેમની રાજ્ય સરકાર માંથી વિદાય થઈ છે અને આગામી સપ્તાહ ના તેઓ પોડીચેરી ના રાજ્યપાલ તરીકે શપથ લઈ રહ્યા છે ત્યારે cm કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકા સિંગ સાથે એમ કે દાસ ની પણ રી એન્ટ્રી મહત્વપૂર્ણ ખાતાઓ સાથે થઈ ચૂકી છે. મહત્વનું છે એમ કે દાસ રૂપાણી સરકાર માં સીએમઓ કાર્યાલય માં ફરજ બજાવી ચુક્યા છે એક સમયે સરકાર ના ટ્રબલ શૂટર ની ભૂમિકામાં હતા જો કે ભૂપેન્દ્ર પટેલ સરકાર માં પ્રથમ વાર સીએમ કાર્યાલય માં ચાર્જ સાંભળશે
3 અધિકારીઓની ગુજરાતમાં વાપસી
ગુજરાત સરકાર માં છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્ર માં શિથીલતા આવી ગયા ની ચર્ચા ચાલી રહી હતી સાથે જ નિર્ણય લેવામાં પણ વિલંબ જોવા મળી રહ્યો હતો જેને દૂર કરવામાં કેન્દ્ર સરકાર માંથી 2 ઉચ્ચ અધિકારી રાજીવ ટોપનો તથા ટી નટરાજન ને ગુજરાત પરત લવાયા છે મહત્વ પૂર્ણ છે કે બંને અધિકારીઓ ગુજરાત માં તથા દિલ્હી માં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચુક્યા છે એટલે વહીવટી તંત્ર માં મજબૂત પકડ છે જેનો સીધો ફાયદો વર્તમાન સરકાર માં જોવા મળશે. સાથે જ જ્યંતી રવિ રૂપાણી સરકાર માં આરોગ્ય સચિવ હતા હલમો તેઓ પોન્ડીચેરી ઓરોવીલ ફાઉન્ડેશન માં સેક્રેટરી તરીકે કાર્યરત હતા જેમની પણ ગુજરાત કેડર માં વાપસી કરાઈ
આખરે વિનોદ રાવની શિક્ષણ માંથી એક્ઝિટ
છેલ્લા 8 વર્ષથી વિનોદ રાવ શિક્ષણ વિભાગ માં સચિવ તરીકે કાર્યરત હતા સરકાર ના વહીવટી તંત્ર માં સામાન્ય નિયમ 3 વર્ષે બદલીઓ છે ત્યારે આ એક જ અધિકારી હતા જેમને લાંબો સમય સુધી એક જ જગ્યા પરથી હટાવવામાં નતા આવ્યા. તો બીજી તરફ હરણી દુર્ઘટના માં હાઇકોર્ટ દ્વારા વિનોદ રાવ સામે પગલાં લેવાના નિર્દેશ અપાયા હતા હાઇકોર્ટ માં હુકમ બાદ થોડા સમય માટે એમના સસ્પેનશન ની ચર્ચાઓ પુરજોશ પકડ્યું હતું અંતે એમની સાઈડ પોસ્ટિંગ આપવામાં આવી
મુખ્યમંત્રી એ આગામી 3 વર્ષ માટે રોડમેપ કર્યો તૈયાર
આ વહીવટી બદલાવ નું મહત્વનું એક કારણ એ પણ છે કે આગામી વિધાનસભા ની ચૂંટણીઓ પહેલા સરકાર ના મુખ્ય વિભાગો માં સક્રિયતા આવે. સાથે જ ઝડપી નિર્ણય થાય. તેમજ અધિકારીઓ ની આગામી 10 વર્ષ ની ટીમ તૈયાર કરી શકાય. આ બદલીઓ બાદ મોટા ભાગે આ અધિકારીઓ આગામી 3 થી 5 વર્ષ માટે સોપાયેલા પોર્ટફોલિયો જોશે જેમના નિર્ણય ની સીધી અસર રાજ્યના વિકાસ અને પ્રજાલક્ષી કામોમાં દેખાશે