ગઢડાનું સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ફરી કેમ આવ્યુ વિવાદમાં? આચાર્ય અજેન્દ્ર પ્રસાદ માટે ક્યા સ્વામીએ કહ્યા અપશબ્દો? જુઓ વીડિયો

બોટાદનું પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. આચાર્ય અજેન્દપ્રસાદ માટે આ સ્વામીના નિવેદનથી સાંખ્યયોગી બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. તેમણે અપશબ્દો કહેનારા સ્વામી સામે વહીવટમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.

Follow Us:
| Updated on: Mar 23, 2024 | 8:29 PM

બોટાદના પ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામી પર ફરી કૌભાંડનો આરોપ લાગ્યો છે. હરજીવન સ્વામીએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ વિરુદ્ધ વાપરેલા અપશબ્દોથી રોષનો માહોલ છે. સંસ્થાની સાંખ્યયોગી બહેનોએ પત્રકાર પરિષદ યોજી બે દિવસ પહેલા પણ આચાર્યના મુદ્દે મંદિરના ચેરમેન, સંતો અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મંદિરની ચેરમેન હરજીવન સ્વામીએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ માટે વારંવાર પદભ્રષ્ટ આચાર્ય સંબોધન કરતા મામલો વણસ્યો હતો અને ચેરમેન હરજીવન સ્વામી માફી નહીં માગે તો આગામી સમયમાં ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાધુઓના જૂથ વચ્ચેના આતંરિક કલેશમાં આચાર્યનું નામ ઢસડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ પણ લાગ્યો છે.

વડતાલ તાબા હેઠળના ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટદારો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમા મંદિરમાં ગૌશાળા, ભોજનશાળા અને ઉતારાની વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો આરોપ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સાંખ્યયોગી અલ્પાબેનના આક્ષેપ મુજબ મંદિરના વહીવટકર્તા હરજીવનસ્વામી મંદિરમાં લાખો રૂપિયાનો કૌભાંડ કરી રહ્યા છે. ગૌશાળામાં ગઢપુર મંદિરની 200 વર્ષથી લક્ષ્મીવાડીમાં ગાયો રહેતી હતી એ ગાયોને ભક્તિબાગમાં લઈ જવામાં આવી છે. ત્યાં ગાયોનુ સારી રીતે જતન પણ કરવામાં ન આવતુ નથી. તેમને પુરતો ઘાસચારો આપવામાં આવતો નથી. ગાયોના નામે કરોડો રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ પણ લગાવ્યો છે. હરજીવન સ્વામી સામે તમામ સાંખ્ય યોગી બહેનોએ અજેન્દ્ર પ્રસાદ સામે કરેલા અપશબ્દો બદલ માફીની માગ કરી છે અને જો તેઓ માફી નહીં માગે તો નારી શક્તિ તેમની વિરુદ્ધ આંદોલન છેડશે.

Input Credit- Brijesh Sakariya- Gadhadha

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોને લઈને ભાજપમાં ફસાયો પેચ, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં કોના નામો છે ચર્ચામાં- જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">