Gujarati Video : સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મંદિરના બે ટ્રસ્ટી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, મંદિરમાં સોનું તેમજ રોકડ રકમની ઉચાપત થયાનો આક્ષેપ

Gandhinagar News : અંદાજે 45 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાતા બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 409, 114 મુજબનો ગુનો નોંધાયો છે. હાલ સમગ્ર મામલે ગાંધીનગર LCBના PI દિવાનસિંહ વાળાને તપાસ સોંપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 6:06 PM

જૈન ધર્મની આસ્થાના કેન્દ્ર સમા એવા ગાંધીનગરના માણસા સ્થિત મહુડીના સુપ્રસિદ્ધ ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં સોનું તેમજ રોકડ રકમની ઉચાપત થતાં ખળભળાટ મચ્યો છે. ઉચાપત મામલે મંદિરના જ બે ટ્રસ્ટીઓ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મંદિરના બે ટ્રસ્ટીઓ નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ 700 થી 800 ગ્રામ સોનાના વરખ અને ભંડારામાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ થયો છે.

આ પણ વાંચો-TV9 Exclusive : સાળંગપુર ખાતે રસોઈ માટે લવાયા આધુનિક તપેલા, ગણતરીની મિનિટોમાં 10 હજાર માણસની દાળ અને બનશે 180 કિલો ખિચડી, વાંચો બીજુ શું રહેશે નવું

મહુડીના સુપ્રસિદ્ધ ઘંટાકર્ણ મહાવીર મંદિરના ભંડારાના સૂચિપત્રની તપાસ કરતા સોનાના વરખ અને રોકડની ઉચાપત થઇ હોવાનું સામે આવ્યું છે. અંદાજે 45 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાતા બંને ટ્રસ્ટીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 409, 114 મુજબનો ગુનો નોંધાયો છે.હાલ સમગ્ર મામલે ગાંધીનગર LCBના PI દિવાનસિંહ વાળાને તપાસ સોંપાઈ છે.

મહુડી ઘંટાકર્ણ વીર ભગવાનના મંદીરમાં આવેલા ભંડારામાં ભકતો દ્વારા જે ચડાવો ચઢાવવામાં આવે છે, તે ભંડારો ટ્રસ્ટીઓની હાજરીમાં દર બે-ત્રણ મહિને ખોલવામાં આવે છે. ભંડારામાંથી નીકળતા રોકડા રૂપીયા તથા સોનાના દાગીનાની ગણતરી કરી તેની ભંડાર પત્રકમાં એન્ટ્રી કરી માહિતી રાખવામાં આવે છે.

ધનતેરસના દિવસે ઉતારાય છે સોનાનો વરખ

દર વર્ષે દિવાળી પર્વ પર ધનતેરસના દિવસે ઘંટાકર્ણ મહાવીર દેવનો સંપૂર્ણ વર્ષનો સોનાનો વરખનો ઉતારો ઉતારવામાં આવે છે. તે મુજબ ડિસેમ્બર-2022માં ટ્રસ્ટીઓએ સોનાના વરખનો ઉતારો ઉતારી એક ડોલમાં રાખી તે ડોલ તિજોરીમાં મૂકી હતી. જે બાદ સોનાનો વરખ ભરેલી ડોલ ટ્રસ્ટીઓએ એક વખત ગળાવવા માટે બહાર કાઢી હતી, પરંતુ તે દિવસે સોનું ગળાવવાનું શક્ય ન બનતા તે ડોલ ટ્રસ્ટીઓની હાજરીમાં પાછળ જાળીમાં મુકી તાળું મારવામાં આવ્યું હતું. બાદમાં 15 ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટીઓની હાજરીમાં સોનાનો વરખ ગળાવવા આવતાં 700 થી 800 ગ્રામ સોનું ઓછું ઉતર્યું હતું.

તપાસમાં થયો મોટો ખુલાસો

તપાસમાં સામે આવ્યું કે ટ્રસ્ટીઓ નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ સોનાના વરખ ભરેલી ડોલ અને બીજી સોના-ચાંદીની લગડીઓ બહાર કાઢી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ નિલેશ મહેતાની હિલચાલ શંકાસ્પદ જણાતા આખરે ઉચાપત મામલે ફરિયાદ દાખલ કરાઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">