ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી બીમારી સામે લડવા ગુજરાત સિવિલ તંત્ર સજ્જ, જરૂરી સ્ટાફ, દવાનો જથ્થો તૈયાર, જુઓ વીડિયો

ચીનમાં ફેલાયેલી ગંભીરને બીમારીને લઈ ગુજરાતે તૈયારી શરૂ કરી છે. નવી બીમારી સામે સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકારે આ બીમારીને લઈ ગાઈડલાઈન જાહેર કરી છે. જોકે આ બાબતે તકેદારી રાખવા તમામ હોસ્પિટલોને વ્યવસ્થા કરવા પણ સૂચના આપી દેવાઈ છે. 5 ડૉક્ટરની ટીમ, જરૂરી સ્ટાફ, દવાનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2023 | 10:51 PM

ચીનમાં બાળકોમાં ફેલાઈ રહેલી ન્યુમોનિયાની ગંભીર બીમારીને લઈને ભારત સરકાર સહિત ગુજરાત સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ગુજરાત સરકારે તકેદારી રાખવા માટે તમામ હોસ્પિટલોને વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી છે. જેના પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આ બીમારીને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ થઈ છે.

ગાંધીનગર સિવિલના ડૉ.નિશા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના લોકોને આ બીમારીથી ગભરાવવાની જરૂર નથી. તમામ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કરી દેવામાં આવી છે. સિવિલમાં અત્યારે 5 ડૉક્ટરની ટીમ, જરૂરી પેરામેડિકલ સ્ટાફ, ઈન્જેક્શન અને દવાનો તમામ પ્રકારનો જથ્થો તૈયાર રખાયો છે. તો 15થી 20 જેટલા બેડ, ઓક્સિજનનો જથ્થો, વેન્ટિલેટર સહિતની સુવિધાથી સજ્જ છે.

China Pneumonia Outbreak Gandhinagar Civil hospital prepared to counter the scare

આ પણ વાંચો : ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને ગુજરાત સરકાર એક્શનમાં, આરોગ્ય અધિકારીઓને તૈયારીઓની આપી સૂચના, જુઓ વીડિયો

તો સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ ડૉ.નીતા પરીખે પણ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જા હોવાનું જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, હાલ ચીનમાં આ પ્રકારની નવી બીમારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પગ પેસારો કરે તો તેની સામે લડવા માટે સિવિલનો સ્ટાફ ખડેપગે રહીને લોકોને સારવાર આપશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">