Banaskantha : રતનપુરના ગ્રામજનોનો વિરોધ, ગટરનું પાણી તળાવમાં ભેળવવાની કામગીરી સામે રોષ
નવી ભીલડીનું ગટરનું પાણી રતનપુર તળાવમાં ભેળવવાની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોએ કામગીરી અટકાવી વિરોધ કર્યો છે.
Banaskantha : જિલ્લાના રતનપુરના ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો છે. આ ગામના તળાવમાં ગટરનું પાણી ભેળવવાની કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. નવી ભીલડીનું ગટરનું પાણી રતનપુર તળાવમાં ભેળવવાની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોએ કામગીરી અટકાવી વિરોધ કર્યો છે. નોંધનીય છેકે ગ્રામજનો આ કામગીરીથી તળાવની સ્વચ્છતાને લઇને સવાલો ઉઠાવી રહ્યાં છે. અને, ગંદકીને કારણે રોગચાળો ફાટવાની પણ દહેશત વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે આ વિરોધને પગલે આ કામગીરી અટકે છે નહીં, અને શું પરિણામ આવે છે તે જોવું રહ્યું.
Latest Videos
Latest News