Vadodara : ગેરકાયદે 24 બાંગ્લાદેશીને પરત મોકલાશે, ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી, જુઓ Video
પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતભરમાં ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને દેશ બહાર હાંકી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરામાંથી ગેરકાયદે 24 બાંગ્લાદેશઈઓને પરત મોકલવામાં આવશે.
પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતભરમાં ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને દેશ બહાર હાંકી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરામાંથી ગેરકાયદે 24 બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે. બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાથી પશ્ચિમ બંગાળ ગયેલી ટીમ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. 24 બાંગ્લાદેશીઓને હંગામી ડિટેક્શન સેન્ટર પર રખાયા છે. કેન્દ્ર સરકારનો સંપર્ક કરી તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાંગ્લાદેશીઓને હંગામી ડિટેક્શન સેન્ટર પર રખાયા
બીજી તરફ સુરતનાં બાંગ્લાદેશી બસ્તી તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસે રહીશોનાં ઓળખ પુરાવાની તપાસ શરૂ કરી છે. પોલીસ કાર્યવાહીથી બચવા બાંગ્લાદેશી ઘુસણખોરો ઘર બંધ કરી ફરાર થયા છે. પોલીસે બાંગ્લાદેશીઓના ઘરના તાળા તોડી તપાસ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ વિસ્તારમાંથી 120થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં

ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો

ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના

ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
