Amreli : ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા 2 સિંહોના મોતના પડ્યા ઘેરા પ્રત્યાઘાત, રાજ્યકક્ષાની તપાસના આદેશ બાદ વનવિભાગની ટીમે આદરી કાર્યવાહી

Amreli: રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા 2 સિંહોના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્ય સરકારના વનમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ વનવિભાગની ટીમ રેલવે ટ્રેક પર પહોંચી હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 5:09 PM

Amreli: રાજુલાથી પીપાવાવ પોર્ટ નજીક આવેલા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા 2 સિંહોના મોત નીપજ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજ્યકક્ષાના વનમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ વનવિભાગની ટીમ રેલવે ટ્રેક પર તપાસ હાથ ધરી. DCF કક્ષાના અધિકારીઓ સહિતનાએ ટ્રેક પર તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીની માહિતી લીક ન થાય તે માટે મીડિયાને દૂર રાખવામાં આવ્યુ હતુ.

કરોડોના ખર્ચે ફેન્સિંગ કરાઈ હતી તો સિંહો ટ્રેક પર શું ઉડીને પહોંચ્યા ?

સિંહોને બચાવવા કરોડોના ખર્ચે ફેન્સિંગ નાખ્યા હોવા છતા સિંહો ટ્રેક પર કેવી રીતે આવી ગયા તે મોટો સવાલ છે. રેલવેકર્મીઓ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે તાઉતે વાવાઝોડા સમયે આ ફેન્સિંગ ક્ષતિગ્રસ્ત થઈ હતી, જો કે બાદમાં તેનું રિપેરિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારે જો ફેન્સિંગનું સમારકામ થઈ ગયુ હતુ તો સિંહો રેલવેટ્રેક પર શું ઉડીને આવ્યા તેવો સવાલ અહીંના સ્થાનિકો પણ કરી રહ્યા છે. હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનામાં પહેલા એક સિંહનું મોત થયુ હતુ, જ્યારે એક સિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને જૂુનાગઢ સક્કરબાગ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. જો કે બે દિવસમાં એ ઈજાગ્રસ્ત સિંહનું પણ મોત થયુ હતુ. બે-બે સિંહોના મોતથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરાઈ હતી. આ સમગ્ર મામલે વનમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ દરમિયાન અધિકારીઓ મીડિયાથી દૂર ભાગતા જોવા મળ્યા છે. DCF  જયંત પટેલ પણ tv9ના સવાલોથી દૂર ભાગતા જોવા મળ્યા હતા. જે પ્રકારે બેદરકારી સામે આવી છે અને જવાબદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી ત્યારે આ અંગે કોઈ જવાબ આપવાથી તેઓ બચતા જોવા મળ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : Breaking News: રાજુલાના પીપાવાવ પાસે ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત, ફેન્સિંગ કરેલું હોવા છતાં સર્જાયો અકસ્માત, જુઓ Video

તપાસ કાર્યવાહી લીક ન થાય તે માટે મીડિયાને દૂર રખાયુ

ગુજરાતની અને દેશની આન-બાન-શાન અને ગૌરવ સમા આ એશિયાટિક લાયનના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ક્યાંકને ક્યાંક વનવિભાગ અને રેલવેકર્મીઓની પણ બેદરકારી સામે આવી છે. જો કે હાલ તો વનવિભાગના DCF કક્ષાના અધિકારીઓ તપાસ માટે આવ્યા છે પરંતુ સમગ્ર તપાસથી મીડિયાને કેમ દૂર રખાઈ રહ્યુ છે તે પણ શંકા ઉપજાવે છે. વનવિભાગ એવુ તો શું છુપાવવા માગે છે કે મીડિયાને દૂર રખાયુ તેવો ગણગણાટ પણ મીડિયાકર્મીઓમાં છે.

Input Credit- Jaydev Kathi- Amreli

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">