AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે અમિત શાહ, CM સહિતના રાજકીય દિગ્ગજો પહોંચ્યા, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય- Video

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે ભાજપના અનેક દિગ્ગજો આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના રાજકીય અગ્રણીઓ વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2025 | 7:13 PM

ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેમના અંતિમ દર્શન માટે અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ આવી પહોંચ્યા છે. જેમા ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, રાજ્યપાલ, કુમાર સ્વામી, સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના રાજકીય અગ્રણીઓ સામેલ છે. વિજય રૂપાણીના નિવાસસ્થાનની બાજુમાં આવેલા મહાદેવ મંદિરે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ જે બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં આ રાજકોટ ભાજપના તમામ નેતાઓ સહિત વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના લોક લાડીલા નેતાને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. વિજય રૂપાણીના આકસ્મિક મૃત્યુથી રાજકોટવાસીઓ ઘેરા આઘાતમાં છે અને સમગ્ર રાજકોટ શહેરમાં એક ગમગીની છવાઈ ગઈ છે.

આજે રાજકોટના વિવિધ માર્ગો પરથી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી હતી, એ સમયે સમગ્ર રાજકોટવાસીઓ તેમના અંતિમ દર્શન માટે ઉમટ્યા હતા. પોતાના માનીતા નેતાની અણધારી વિદાય છે રાજકોટવાસીઓ ઘેરા શોકમાં ડૂબ્યા છે અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-07-2025
પાણી પિતા જ પેશાબ લાગે છે ? તો આ ગંભીર બીમારી થી ચેતજો
ખાલી પેટ કેળું કેમ ન ખાવું જોઈએ?
ઘરમાં તુલસી હોય તો આ 5 વાતો આજે ગાંઠ બાંધી લેજો
LABUBU DOLL ઘરે રાખવી શુભ કે અશુભ?
Sawan 2025: શ્રાવણ મહિનામાં વાળ કાપવાથી શું થાય છે?

કાગડોળે રાહ જોયા બાદ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ, રાજ્યના 70 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ- Video– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">