અમદાવાદ: બોર્ડ પરીક્ષા પૂર્ણ થતા પહેલા CCTVની ચકાસણી, ગેરરીતિ અને કોપી કેસ ઝડપી પાડવા તપાસ તેજ- Video

બોર્ડ પરીક્ષા પૂર્ણ થાય એ  પહેલા CCTVની ચકાસણી હાથ ધરાઈ છે. દરેક ઝોનમાં વર્ગખંડના સીસીટીવીની તપાસ હાથ ધરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા આચરાતી ગેરરીતિ અને કોપી કેસ ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરાઈ છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Mar 17, 2024 | 11:51 PM

અમદાવાદ: બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થાય તે પહેલા વર્ગખંડના સીસીટીવી મેળવી તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. દરેક ઝોનમાં વર્ગખંડના સીસીટીની તપાસ હાથ ધરાઈ છે. ગેરરીતિ અને કોપી કેસ ઝડપી સઘન તપાસ હાથ ધરી શકાય તેમજ વહેલુ પરિણામ જાહેર કરી શકાય તે માટે આ કામગીરી વહેલી શરૂ કરી દેવાઈ છે.

આ વર્ષે રાજ્યભરમાં ધોરણ 10માં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા કંટ્રોલરૂમમાં તમામ પરીક્ષાખંડના સીસીટીવી મેળવી તેની ચકાસણી શરૂ કરી દેવાઈ છે. આ સીસીટીવીને આધારે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે છે. આથી કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે કે નહીં તે ધ્યાને આવે છે.

નિરીક્ષકની નજરમાંથી બચી જતા વિદ્યાર્થી પર સીસીટીવીની બાઝ નજર

બોર્ડ દ્વારા 26મી માર્ચ સુધીમાં સીસીટીવીની ચકાસણી પુરી કરવાનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ એકબીજામાંથી કોપી કરતા હોય કે પ્રશ્નપત્રની આપલે કરતા હોય, આન્સરશીટની અદલાબદલી કરતા હોય તો તે કેસને અલગ તારવવામાં આવે છે. આવા કેસમાં જે તે સ્થળ સંચાલકને બોલાવી તે વિદ્યાર્થીનો સીટ નંબર મેળવી વિદ્યાર્થીના વાલી, વિદ્યાર્થી અને જેતે પરીક્ષા સ્થળ સંચાલકને બોલાવવામાં આવશે. આ તમામને સાથે રાખી તેની સુનાવણી કરવામાં આવશે. આ તમામ કાર્યવાહી રિઝલ્ટ પહેલા હાથ ધરવામાં આવશે.

આ વર્ષે બોર્ડ દ્વારા જલ્દી પરિણામ તૈયાર કરવાનુ કહેવામાં આવ્યુ હોવાથી સીસીટીવીની ચકાસણી પણ વહેલી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:  ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીને રાજકીય રંગ આપવાનો પ્રયાસ, ઓવૈસીએ ઘટનાને ગણાવી સામૂહિક કટ્ટરતા

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">