Ahmedabad : સાબરમતી નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ટુંક સમયમાં શરૂ કરાશે

ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની વાત કરીએ તો તે બે માળની હશે.જેમાં પ્રથમ માળ AC કેબિન અને બીજો માળ ઓપન સ્પેશ રહેશે.આ ક્રુઝમાં એકસાથે 150 લોકો સવારી કરી શકશે. જ્યાં મનોરંજની સુવિધા જેમાં લાઇવ શો, મ્યુઝિક પાર્ટી હશે.

Darshal Raval
| Edited By: | Updated on: May 31, 2023 | 3:50 PM

Ahmedabad : અમદાવાદની(Ahmedabad)  ઓળખ એટલે રિવરફ્રન્ટ(Riverfront)  અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. (Cruise Floating Restaurant) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. હવે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. વાસણા બેરેજ ખાતે વિશાળ ક્રૂઝ બનીને તૈયાર છે.હાલ સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ટ્રાયલ લેવાઈ રહી છે.સાથે જ નદીમાં ક્રુઝ બોટમાં ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ પણ પ્રગતિમાં છે. એક અંદાજ પ્રમાણે જૂન મહિનામાં આ ક્રુઝની મજા સહેલાણીઓ માણી શકશે.

સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડ માટે દોઢ કલાક સમય જશે

ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની વાત કરીએ તો તે બે માળની હશે.જેમાં પ્રથમ માળ AC કેબિન અને બીજો માળ ઓપન સ્પેશ રહેશે.આ ક્રુઝમાં એકસાથે 150 લોકો સવારી કરી શકશે. જ્યાં મનોરંજની સુવિધા જેમાં લાઇવ શો, મ્યુઝિક પાર્ટી હશે. એટલું જ ક્રુઝમાં સહેલાણીઓ બર્થ ડે પાર્ટી, ઓફિસ મિટિંગ કે અન્ય ફંક્શન પણ કરી શકશે.ક્રુઝને સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડ માટે દોઢ કલાક સમય જશે.

ક્રુઝના અંદાજે 10 કરોડ જેટલો ખર્ચ થશે

જેના માટે આગામી દિવસોમાં સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે નદીમાં જેટી પણ તૈયાર કરવામાં આવશે.જ્યાંથી લોકો ક્રુઝમાં બેસી શકશે.જેનું કામ અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યું છે. જેનો અંદાજ છે કે ક્રુઝના અંદાજે 10 કરોડ જેટલો ખર્ચ થશે. ક્રુઝ ચલાવવા કંપની રિવરફ્રન્ટને વર્ષે 45 લાખ આપશે. જોકે ક્રુઝની ટિકિટનો દર અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">