AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો, કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા

એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારમાં તેલની માગમાં ઘટાડો નોંધાતા ખરીદી ઓછી થઇ છે અને લોકોએ તેલની ખરીદી ઓછી કરતા ભાવમાં પણ ઘટાડો થયો છે.

Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો, કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા
Mohit Bhatt
| Edited By: | Updated on: May 31, 2023 | 12:29 PM
Share

Rajkot : ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં રુપિયા 60નો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના (Cottonseed oil) ભાવમાં રૂ.30નો ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો-Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો, કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડાનું જાણો કારણ

એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારમાં તેલની માગમાં ઘટાડો નોંધાતા ખરીદી ઓછી થઇ છે અને લોકોએ તેલની ખરીદી ઓછી કરતા ભાવમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે.  સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના અને કપાસિયા તેલ ભાવમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો-Cricket Calendar: IPL 2023 સમાપ્ત, હવે કોણ, ક્યાં અને ક્યારે રમશે મેચ, જાણો પુરુ ક્રિકેટ કેલેન્ડર

સિંગતેલમાં એક દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો

વર્ષ 2023માં ગૃહિણીઓને ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારાનો સામનો કરતો રહેવુ પડ્યુ છે. જો કે હવે ગૃહિણી માટે સારા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એવુ બન્યુ છે કે વર્ષ 2023માં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં એક દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં રૂ.30નો ઘટાડો થયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયા હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">