AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ખેડૂતોએ બિયારણની ખરીદી બિલ સાથે કરવા કૃષિ મંત્રીની અપીલ, સરકાર નકલી બિયારણ વેચતા લોકો સામે કરી રહી છે કાર્યવાહી

Gujarati Video: ખેડૂતોએ બિયારણની ખરીદી બિલ સાથે કરવા કૃષિ મંત્રીની અપીલ, સરકાર નકલી બિયારણ વેચતા લોકો સામે કરી રહી છે કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 9:50 PM
Share

સરકાર નકલી બિયારણ વેચતા લોકો સામે કરી રહી છે કાર્યવાહી કરી રહી હોવાની વાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે. ઓળખીતા લોકો પાસેથી બિયારણ લેવાનો આગ્રહ ન રાખે તેવું જણાવ્યુ હતું.

Rajkot:રાજ્યના ખેડૂતે પહોંચ સાથે જ બિયારણની ખરીદી કરવા કૃષિ મંત્રી એ આહ્વાન કર્યું છે. મંત્રીએ કહ્યું નકલી બિયારણનો વેપલો કરનારાઓની મનસા ક્યારેય સાકાર નહીં થાય. તેને માટે સરકાર આવા નકલી બિયારણ વેચનાર પર કાર્યવાહી કરી રહી છે. નકલી બિયારણને લઈને રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે ખેડૂતોને આ અપીલ કરી છે. તેમણે દાવો કર્યો છે કે, સરકાર નકલી બિયારણ વેચતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો : રાજ્યના એક કેબિનેટ મંત્રી IPLની ટિકિટ માટે આવતા ફોનથી છે પરેશાન

ખેડૂત સાથે છેતરપિંડીની ઘટના નહીં બને તે માતે ખેડૂતો પહોંચ સાથે બિયારણની ખરીદી કરે તેવી કૃષિપ્રધાને અપીલ કરી છે. છેતરપિંડી કરનારા આવા કોઈપણ તત્વોને બક્ષવામાં નહીં આવે તેમ મંત્રીએ જણાવ્યુ હતું. જો કે સાથે જ કૃષિપ્રધાને ખેડૂતોને પણ સાવધાની રાખવા અપીલ કરતાં કહ્યું કે, બિયારણની ખરીદી પહોંચ સાથે જ કરવી. એકબીજાના ઓળખીતાઓ પાસેથી ખરીદીતા બિયારણને કારણે નકલીનો વેપલો વધે છે. જો પહોંચથી ખરીદી હશે, તો આ નકલી બિયારણનું નેટવર્ક ઝડપથી તુટી જશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">