AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ચંડોળા તળાવમાં આજે ફરી ડિમોલિશન હાથ ધરાયું, 6 ધાર્મિક દબાણો દૂર કરાયા, જુઓ Video

Ahmedabad : ચંડોળા તળાવમાં આજે ફરી ડિમોલિશન હાથ ધરાયું, 6 ધાર્મિક દબાણો દૂર કરાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2025 | 1:56 PM
Share

અમદાવાદનું મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવતા ચંડોળા તળાવમાં ફરી એકવાર બુલડોઝર ફર્યું છે. ચંડોળા તળાવમાં આજે ફરી ડિમોલિશન હાથ ધરાયું જેમાં 6 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા.

અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવતા ચંડોળા તળાવમાં ફરી એકવાર બુલડોઝર ફર્યું છે. ચંડોળા તળાવમાં આજે ફરી ડિમોલિશન હાથ ધરાયું જેમાં 6 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા.જેમાં ચોકીદાર બાવાની દરગાહ- શાહઆલમ, નાના ચંડોળા પાસે આવેલી ગરીબ નવાઝ મસ્જિદ, પાપા મિંયા શાહી દરગાહના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઈસનપુર રોડ પર આવેલું જોગણી માતાનું મંદિર, દશામા મંદિર અને હનુમાન મંદિર દૂર કરવામાં આવ્યા છે.કુલ 6 જેટલા ધાર્મિક દબાણો પર મનપાની કાર્યવાહી.અગાઉ 34 જેટલા ધાર્મિક સ્થળો પર દબાણો દૂર કરાયા હતા.

બીજા તબક્કામાં 34 ધાર્મિક સ્થળ તોડ્યા હતા.

આ પહેલા, આ વિસ્તારમાંથી 2 લાખ ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ બાંધકામો મોટાભાગે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા કરવામાં આવ્યા હતા. પહેલા તબક્કામાં મોટા પાયે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં અગાઉ 34 ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે.

આ ખાસ કરીને, ચોકીદાર બાવની દરગાહ (શાહઆલમ પાસે), ગરીબ નવાજ મસ્જિદ (નાના ચાંડોળા પાસે), પાપામિયા શાહી દરગાહ, અને ઈશાનપુર રોડ પર આવેલા કેટલાક ગેરકાયદેસર મંદિરોને પણ તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ, કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવની આસપાસ એક દીવાલ પણ બનાવવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">