શિરડી: સાંઇ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા, દર્શનના આવા હશે નિયમો, ચૂકવવા પડશે આટલા રૂપિયા

ગુરૂવારથી શિરડી સાંઈ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. લાંબા સમયથી કોરોનાને લીધે શિરડી સાંઈ મંદિર બંધ હતુ. જાણો દર્શનના નિયમો વિશે સંપૂર્ણ માહિતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 9:18 AM

સાંઈ ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. ગુરૂવારથી શિરડી સાંઈ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. લાંબા સમયથી કોરોનાને લીધે શિરડી સાંઈ મંદિર બંધ હતુ. ત્યારે ગુરુવારથી શિરડીના સાંઇ મંદિરને ફરી એક વખત ખોલવાનો નિર્ણય લેવાયો. અને મંદિર તરફથી પાંચ હજાર ઓનલાઇન સહિત ઓફલાઇન પાસ અપાયા હતા. આ સિવાય પાંચ હજાર પેઇડ પાસ જારી કરવામા આવ્યા. જેમાં સવારે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ ૬૦૦ રૂપિયા અને બપોર અને સાંજે દર્શન કરવા માટે ૪૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. મંદિરમાં દરરોજ ૧૫ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. તેમજ એક કલાકમાં ૧૧૫૦ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય આરતી સમયે ફકત ૯૦ શ્રદ્ધાળુઓને ભાગ લેવાની છૂટ રહેશે.

તમને જણાવી દઈએ કે સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર, મંદિરમાં કોવિડ -19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. ત્યારે જ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટે ઓનલાઈન બુકિંગ વિન્ડોની વ્યવસ્થા કરી છે. આ દ્વારા જ તમે સ્લોટ બુક કરી શકો છો અને પછી તમે સ્લોટ મુજબ દર્શન માટે જઈ શકશો.

 

આ પણ વાંચો: ભારત સામે UK ઝૂકવાથી લઈને પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાના આયોજન સુધી: એક જ ક્લિકમાં વાંચો આ મોટા સમાચાર

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?

Follow Us:
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">