AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?

વેક્સિનને લઈને ઘણા પ્રશ્નો તમારા મનમાં થતા રહે છે. ચાલો જાણીએ કે રસી લીધા પછી કેટલા દિવસો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી, તેમાંથી બનેલી એન્ટિબોડીઝની અસર કેટલા સમય સુધી ચાલશે.

કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?
Corona Gyanshala: If you have taken both doses of the vaccine, how many days do you need to worry?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 8:33 AM
Share

ભારત સહિત વિશ્વના ઘણા દેશો હજુ પણ કોરોના મહામારી સામે યુદ્ધ લડી રહ્યા છે. હાલમાં, ભારતમાં 2,44,198 લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસોના 0.72 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 1.57 ટકા છે. બીજી બાજુ, જો આપણે રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં કોરોના રસીના 92.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

એક પ્રશ્ન જે લોકોના મનમાં ઉદ્ભવી રહ્યો છે તે એ છે કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓ કેટલા દિવસો સુધી નિશ્ચિત રહી શકે છે. એટલે કે, રસી લીધા પછી, તેમના શરીરમાં કોરોના વાયરસ સામે જે એન્ટિબોડીઝ બનશે, તે શરીરમાં કેટલા સમય સુધી રહેશે? આ અંગે ઘણા પ્રકારના સંશોધન કરવામાં આવ્યા છે.

સંશોધનોના આધારે, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડો. કે શ્રીનાથ રેડ્ડીએ પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ચાલો જાણીએ કે રસી લીધા પછી તમારે કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી, તેનાથી બનેલી એન્ટિબોડીઝની અસર કેટલા સમય સુધી ચાલશે.

એન્ટિબોડીઝ કેટલો સમય રહેશે?

ડો. કે શ્રીનાથ રેડ્ડીએ ઓલ ઈન્ડિયા રેડિયોને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એન્ટિબોડીઝ સામાન્ય રીતે 6 મહિના સુધી શરીરમાં રહી શકે છે. રસી પછી જે સંશોધન કરવામાં આવ્યું છે તેમાં જાણવા મળ્યું છે કે શરીરમાં એન્ટિબોડીઝ લગભગ 6 મહિના સુધી રહે છે. આ ફક્ત શરીરમાં એન્ટિબોડીઝના સ્તરને જોઈને કહેવામાં આવે છે, પરંતુ શરીરમાં કોષ આધારિત પ્રતિરક્ષા પણ છે, જેના કારણે બનાવેલ એન્ટિબોડીઝ લાંબા સમય સુધી રહે છે.

તમારે કેટલી ચિંતા કરવાની જરૂર છે?

તેમણે કહ્યું કે શરીરમાં મેમરી-સેલ્સ પણ છે, જે વાયરસ શરીરમાં દાખલ થાય ત્યારે તેને ઓળખે છે અને ફરીથી ત્યાં એન્ટિબોડી બનાવવાનું શરૂ કરે છે. આ રીતે બનેલી એન્ટિબોડી વાયરસ સાથે સ્પર્ધા કરે છે. તેથી હવેથી આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. અને એન્ટિબોડી ચેક કરાવતા રહેવાની જરૂર નથી.

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કયા મહિનામાં કોરોનાની વેક્સિન લેવી જોઈએ?

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું માસિકધર્મ દરમિયાન મહિલાઓએ COVID -19 ની વેક્સિન લેવી જોઈએ? જાણો એક્સ્પર્ટનો જવાબ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">