Viral Video : આ હરકતથી અચાનક ચોંકી ગયો વિરાટ કોહલી, બોલ્યો – આ આશ્રમ….

આશ્રમમાં ઓટોગ્રાફ લેવા આવનાર ફેન્સે એવી હરકત કરી કે વિરાટ પણ ચોંકી ગયો આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : આ હરકતથી અચાનક ચોંકી ગયો વિરાટ કોહલી, બોલ્યો - આ આશ્રમ....
Viral videoImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 11:03 PM

વિરાટ કોહલી ફરી એકવાર તેના શાનદાર ફોર્મમાં પાછો ફર્યો છે. હાલમાં તે ક્રિકેટથી બ્રેક લઈને પત્ની અનુષ્કા સાથે ઋષિકેશ પહોંચ્યો છે. કોહલી આ દરમિયાન દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યો હતો. વિરાટને જોઈ ઋષિકેશમાં તેના ફેન્સ ચોંકી ગયા હતા. આશ્રમમાં ઓટોગ્રાફ લેવા આવનાર ફેન્સે એવી હરકત કરી કે વિરાટ પણ ચોંકી ગયો આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હવે સવાલ એ છે કે શા માટે વિરાટ કોહલી આ દિવસોમાં મંદિરો અને આશ્રમોમાં વધુ દેખાવા લાગ્યો છે. આખરે આમાંથી વિરાટ કોહલીને શું મળે છે? એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલીની સફળતાનો માર્ગ હવે આધ્યાત્મિકતાથી જ શરૂ થઈ રહ્યો છે. વિરાટ કોહલીનું અલગ અલગ આશ્રમમાં જવાથી ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ રહ્યો વિરાટ કોહલીનો એ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ આશ્રમમાં એક જગ્યા પર બેઠો છે. અને તેની આસપાસ ફેન્સ તેને ઘેરીને ઉભા છે. તેઓ વિરાટ કોહલીને ઓટોગ્રાફ લેવા માટે ઉભા છે. કેટલાક ફેન્સ વિરાટ કોહલીને વીડિયો પણ ઉતારી રહ્યાં છે. ફેન્સની આ હરકત જોઈ વિરાટ દંગ રહી ગયો હતો અને તેણે કહ્યું કે આ આશ્રમ છે અહીં વીડિયો ન ઉતારો.

કોહલીની ‘વિરાટ’ સફળતાનું આધ્યાત્મિક કનેક્શન!

વિરાટ કોહલીને કદાચ આધ્યાત્મિકતાથી તાકાત મળે છે. વ્યક્તિને માનસિક શાંતિ મળે છે, જેનો તેના જીવનમાં થોડા સમયથી અભાવ હતો. વિરાટ કોહલીને આશ્રમો અને મંદિરોમાં જઈને ઘણો ફાયદો થયો છે, તેના ક્રિકેટમાં એક અલગ જ સકારાત્મક ઉર્જા જોવા મળી છે.

આશ્રમમાં સંતોના આર્શીવાદ લેવા પહોંચી રહ્યો છે વિરાટ

T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી નૈનીતાલ જિલ્લામાં નીમ કરૌલી બાબાના મંદિરે ગયો હતો. વિરાટ કોહલીએ ત્યાં માથું નમાવ્યું અને તે પછી તરત જ બાંગ્લાદેશની વનડે સિરીઝમાં વિરાટ કોહલીએ સદી ફટકારી. આ પછી વિરાટ કોહલીએ નવા વર્ષ નિમિત્તે વૃંદાવનમાં નીમ કરૌલી બાબાના આશ્રમમાં હાજરી આપી હતી. ફરી એકવાર વિરાટ કોહલીએ સદી ફટકારી.

આ વખતે વિરાટ કોહલીએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી. વિરાટ હવે ફરીથી ઋષિકેશમાં આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ ગિરીના આશ્રમ પહોંચ્યો છે. ત્યાં તેણે લોકોને ભોજન કરાવ્યું, તો શું હવે ઓસ્ટ્રેલિયા સામે પણ વિરાટનું બેટ કામ કરશે? 9 ફેબ્રુઆરીથી દરેક લોકોને જવાબ મળી જશે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">