AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Post : આ Gen Z નો યુગ છે, બચીને રહેજો ! કાકાના મૃત્યુ પર રજા ના મળી, તો કર્મચારીએ મેનેજરને અનોખો પાઠ ભણાવ્યો

એક તરફ કોર્પોરેટ કંપનીઓ લોકોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી રહી છે. જો કે, ઘણી જગ્યાએ "ટોક્સિક વર્ક કલ્ચર"ને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Trending Post : આ Gen Z નો યુગ છે, બચીને રહેજો ! કાકાના મૃત્યુ પર રજા ના મળી, તો કર્મચારીએ મેનેજરને અનોખો પાઠ ભણાવ્યો
Image Credit source: AI Generated
| Updated on: Nov 19, 2025 | 8:59 PM
Share

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ વાયરલ થયો. આનાથી ભારતમાં “ટોક્સિક વર્ક કલ્ચર” વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ સ્ટોરી જનરેશન Z ના કર્મચારી અને તેના મેનેજર વિશે છે. તેને X પર @WhoteverVishal હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.

પોસ્ટના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, ફક્ત જનરેશન Z જ ભારતના “ટોક્સિક વર્ક કલ્ચર”ને બદલી શકે છે. આ પોસ્ટને 1.4 મિલિયન વખત જોવામાં આવી છે, જ્યારે 19,000 લાઈક્સ અને ઘણી બધી કોમેન્ટ્સ આવી છે.

વાયરલ વોટ્સએપ ચેટમાં તમે જોઈ શકો છો કે, કર્મચારી મેનેજરને મેસેજ કરી રહ્યો છે કે તેના કાકાનું અવસાન થયું છે. તે તેના પરિવાર સાથે સમય વિતાવવા માટે રજા માંગી રહ્યો છે. એવામાં મેનેજરે કહ્યું કે, “પહેલા ક્લાયન્ટ મીટિંગમાં હાજરી આપો, પછી જાઓ.” આ બાદ કર્મચારીએ કહ્યું કે, તે તેની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મીટિંગમાં હાજરી આપી નહીં શકે, ત્યારે મેનેજરે તેના પર દબાણ કર્યું.

મેનેજરે ધમકી આપી

મેનેજરે સીધી ધમકી આપી કે, રજાને LWP (પગાર વિના રજા) તરીકે બતાવવામાં આવશે. આ સાથે જ મેનેજરે સોમવારે મૃત્યુ પ્રમાણપત્ર લાવવાની પણ માંગ કરી. જો કે, કર્મચારીએ તેના મેનેજરને સ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું કે, “જો તમે આટલું પણ સમજી શકતા ન હોવ, તો કદાચ હું ખોટી જગ્યાએ કામ કરી રહ્યો છું.”

મેનેજરે આખરે ગુસ્સામાં કર્મચારીને HR સાથે વાત કરવાનું કહ્યું અને તેને કામ કરવાથી રોકવાની ધમકી આપી. જો કે, સોશિયલ મીડિયા પર લોકોએ કર્મચારીની પ્રશંસા કરતા કહ્યું, “માત્ર જનરેશન Z જ ભારતના ટોક્સિક વર્ક કલ્ચરને બદલી શકે છે.”

કંપની મુશ્કેલ સમયમાં સાથ નથી આપતી

આ ઘટના ફક્ત મેનેજરો માટે જ નહીં પરંતુ કામના નામે કર્મચારીઓનું શોષણ કરતી બધી કંપનીઓ માટે ચેતવણી છે. બીજું કે, કર્મચારીઓ માને છે કે, કંપની મુશ્કેલ સમયમાં તેમની સાથે ઉભી રહેશે. જો તમે તમારા કર્મચારીઓના દુ:ખને સમજી ન શકો, તો વફાદારીની અપેક્ષા રાખશો નહીં. તમને શું લાગે છે? શું તમે આ પ્રકારના ટોક્સિક વર્ક કલ્ચરનો સામનો કર્યો છે?

દેશ અને દુનિયાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">