Birju Maharaj: પંડિત બિરજુ મહારાજના નિધન પર અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો

જાણીતા કથ્થક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું (Birju maharaj )નિધન થયું છે.તેમના પૌત્ર સ્વર્ણ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. ઘણી હસ્તીઓ અને રાજકીય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Birju Maharaj: પંડિત બિરજુ મહારાજના નિધન પર અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો
Many celebrities mourned the demise of Pandit Birju Maharaj (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:08 AM

Birju Maharaj: પ્રખ્યાત કથક ડાન્સર (Kathak Dancer) પંડિત બિરજુ મહારાજ(Birju Maharaj)નું 83 વર્ષની વયે નિધન થયું છે. પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા બિરજુ મહારાજનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમના પૌત્ર સ્વર્ણ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. ઘણી હસ્તીઓ અને રાજકીય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય નૃત્ય કલાને સમગ્ર વિશ્વમાં વિશેષ ઓળખ અપાવનાર પંડિત બિરજુ મહારાજ જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન સમગ્ર કલા જગત માટે અપુરતી ખોટ છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘પંડિત બિરજુજી મહારાજ ભારતની કલા અને સંસ્કૃતિના પ્રણેતા હતા. તેમણે કથક નૃત્યના લખનૌ ઘરાનાને વિશ્વભરમાં લોકપ્રિય બનાવ્યું. તેમના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. તેમનું અવસાન કલા જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સિંગર અદનાન સામી(Adnan Sami)એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું, ‘મહાન કથક નૃત્યાંગના-પંડિત બિરજુ મહારાજ જીના નિધનના સમાચારથી ખૂબ દુઃખ થયું. તેણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.

ભારતીય લોક ગાયિકા માલિની અવસ્થી (Malini Awasthi)એ પણ બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટર પર લખ્યું, ‘આજે ભારતીય સંગીતની લય બંધ થઈ ગઈ છે. કથકના સરતાજ પંડિત બિરજુ મહારાજ હવે નથી રહ્યા. કાલિકાબિંદાદિન જીની ભવ્ય પરંપરાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર મહારાજ જી અનંતમાં વિલીન થઈ ગયા. આ એક ન ભરી શકાય તેવી ખોટ છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે (Ashoke Pandit) લખ્યું, “કથકના દિગ્ગજ અને ગાયક પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજ જીના દિલ્હીમાં હાર્ટ એટેકના કારણે નિધન વિશે જાણીને દુઃખ થયું. ભારતે એક રત્ન ગુમાવ્યું છે. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના.

બીજેપી સાંસદ રવિ કિશને લખ્યું, ‘કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજ નથી રહ્યા. હું તેનો મોટો ચાહક હતો. સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે આ દુઃખદ સમાચાર. બીમાર કે કંઈપણ નહોતું. રાત્રે 12 વાગ્યા સુધી પૌત્ર સાથે અંતાક્ષરી રમતા હતા.

બિરજુ મહારાજના નિધન પર તેમની પૌત્રી રાગિણી મહારાજે કહ્યું, ‘મારા હાથે ભોજન ખાધું. મને કોફી પણ પીવડાવી. આ દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેને બચાવી શક્યા નહીં.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">