AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અજબ-ગજબ: જો ધરતી સપાટ થઈ જાય તો જીવનમાં આવી શકે આવા બદલાવ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો ?

આ પૃથ્વી સપાટ થઈ જાય તો શું થશે ? તો પછી આપણું જીવન કેવું ચાલશે ? ત્યારે સૂર્ય (sun) અને ચંદ્ર (Moon) દેખાશે ? શું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશું ?

અજબ-ગજબ: જો ધરતી સપાટ થઈ જાય તો જીવનમાં આવી શકે આવા બદલાવ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો ?
Earth
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 1:48 PM
Share

ધરતી (Earth) ગોળ છે એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જો આ પૃથ્વી સપાટ થઈ જાય તો શું થશે? તો પછી આપણું જીવન કેવું ચાલશે? ત્યારે સૂર્ય (sun) અને ચંદ્ર (Moon) દેખાશે? શું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીશું? ગુરુત્વાકર્ષણ બળનું શું થશે? સપાટ પૃથ્વી પર સમુદ્ર ક્યાં જશે? કેવી રીતે થશે વરસાદ? ત્યાં ચક્રવાતી તોફાન આવશે કે નહીં? જો પૃથ્વી સપાટ થઈ જાય, તો તમારા જીવનમાં 8 મોટા ફેરફારો થશે. જેના કારણે માત્ર સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ મુશ્કેલીઓ સહન કરવી અત્યંત મુશ્કેલ હશે

પૃથ્વી પરથી ગુરુત્વાકર્ષણ થઈ જશે ખતમ, બધુ હવામાં ઉડવા લાગે જ્યાં સુધી પૃથ્વી ગોળ છે ત્યાં સુધી તમામ પદાર્થો પર એક સમાન ગ્રેવીટી લાગી રહેશે. જો પૃથ્વીને એક બાજુથી સપાટ કરવામાં આવી હોત, તો ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થઈ જશે.

ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મેક્સવેલે 1850 માં કહ્યું હતું કે ગુરુત્વાકર્ષણ (Gravitional Force) બળના સંચાલનનો નિયમ હવે સપાટ પૃથ્વી પર સમાપ્ત થશે. અથવા સપાટ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેના કેન્દ્રમાં જઈ અટકી જશે, એટલે કે, સપાટ પૃથ્વી પરની તમામ વસ્તુઓ કેન્દ્ર તરફ ઝડપથી જમા થવા માંડશે.

કોલંબિયા યુનિવર્સિટીમાં લેમોન્ટ-ડોહર્ટી અર્થ ઓબ્ઝર્વેટરીના જિયોફિઝિસ્ટ જેમ્સ ડેવિસે જણાવ્યું હતું કે ગુરુત્વાકર્ષણ બળનું ખતમ થઈ જવું કે પછી તેનું કેન્દ્રનું બદલવું પૃથ્વી પર પ્રલય લાવશે. લોકો હવામાં તરતા જોવા મળશે. પરંતુ આ સપાટ ધરતી પર કોઈ પણ જીવનું રહેવું શક્ય નથી.

વાયુ મંડળ ખતમ થઈ જવાની શક્યતા, તમે કેવી રીતે શ્વાસ લેશો ?

જ્યારે પૃથ્વી પર વધુ ગુરુત્વાકર્ષણ બળ રહેશે નહીં, ત્યારે તેની આસપાસના વાયુમંડળની સ્તરો પણ સમાપ્ત થઈ જશે તે પણ નક્કી છે. જેને આપણે એટમોસફિયર (Atmosphere) કહીએ છીએ. આ ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર વિવિધ વાયુઓની પરત રહે છે. તે પૃથ્વીની આસપાસ રક્ષણાત્મક ધાબળા જેવું કામ કરે છે. જો કદાચ આ પરત હતી જાય છે તો સૂર્ય પ્રકાશ ધરતી પર ફેલાતો બંધ થઈ જાય છે. અને જે આકાશ અત્યારે વાદળી દેખાય છે તે કાળું દેખાવા માંડશે.

જીવ વૈજ્ઞાનિક લુઇસ વિલાજોને જણાવ્યું હતું કે આ પરત દૂર થતાં જ વાતાવરણનું દબાણ સમાપ્ત થઇ જશે. જેને કારણે પૃથ્વી પરના જીવ-જંતુ અને વૃક્ષો અંતરિક્ષના વેક્યૂમમાં ચાલ્યા જશે. અથવા તો આ વેક્યુમને કારણે પૃથ્વી પર હવાની કમી હશે અને પૃથ્વી પરના તમામ જીવોના મૃત દેહો પડ્યા હશે.

આ સ્થિતિને કારણે દરિયાનું પાણી પણ ઉકળવા માંડશે અને જાણીને નવાઈ લાગશે કે એક માત્ર જીવ કિમોસેન્થેટિક બેક્ટેરિયા જીવિત રહેશે જે ઊંડા સમુદ્રમાં રહે છે અને તેને ઑક્સીજનની જરૂર નથી પડતી.

આમ થવાથી વાદળો પણ દીવાલો જેવા થઈ જશે અને વરસાદ પણ સાઈડ માંથી વરસવા માંડશે તેવો વૈજ્ઞાનિકો અનુમાન લગાવી રહ્યા છે. ગ્રેવીટેશનલ ફોર્સ એક બાજુ કેન્દ્રિત થતાં જ તમામ નદીઓ અને સમુદ્ર એક કેન્દ્રમાં જઈને સ્થિર થઈ જશે. અને ઉત્તરી ધ્રુવ ત રફ જ જતી જણાશે.

જીપીએસ સિસ્ટમનું ખોરાવાઈ જવું, બધી જગ્યાએ દિવસ રાત એક સમાન દેખાવા, સમય ખોરવાય જવો જેવી અનેક મુશ્કેલીઓ અને અસંખ્ય બદલાવો થઈ શકે છે જ્યારે પૃથ્વી સપાટ થઈને ગુરુત્વાકર્ષણ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે.

નોંધ: આ લેખમાં આપેલા તથ્યો વિજ્ઞાનીકોના અભ્યાસ અને સંશોધનના આધારે  પોતાના અંગત અનુમાન છે. જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં  આવ્યો છે. 

આ પણ વાંચો: Health Tips: સવારે ખાલી પેટે એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી થશે આ ખાસ ફાયદાઓ

 

આ પણ વાંચો: Gujarat સરકારની નવી પહેલ, હવે આ રીતે મેળવી શકાશે આયુષ્યમાન કાર્ડ

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">